મૌનનો મહિમા અપાર છે. બાઈબલ કહે છે જીવનમાં કઈ કઈ પરિસ્થિતીમાં મૌન ધારણ કરવું જોઇએ :
૧. ક્રોધના આવાવેશમાં મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૧૪:૧૭)
૨. જ્યારે તમારી પાસે સઘળા સત્યો ના હોય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૧૮:૧૩)
૩ જ્યારે તમે હકીકતની ચકાસણી ન કરી હોય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Deut ૧૭:૬)
૪ જ્યારે તમારા શબ્દો કોઈ નબળી વ્યક્તિને દુ:ખ કે હાનિ પહોંચાડી શકે એમ હોય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (૧ Cor ૮:૧૧)
૫. જ્યારે સાંભળવાનો સમય હોય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૧૩:૧)
૬. જ્યારે પવિત્ર વસ્તુઓને હળવાશથી લેવા મન લલચાય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Eccl ૫:૨)
૭. જ્યારે તમને પાપ વિષે રમૂજ કરવાનું મન થાય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૧૪:૯)
૮. જ્યારે તમારે તમારા શબ્દો બદલ પાછળ થી શરમાવાનો વારો આવવાની સ્થિતી હોય ત્યારે મૌન ધારણ
કરવું જોઇએ. (Prov ૮:૮)
૯. જ્યારે તમારા શબ્દો ખોટી છાપ પાડવાના હોય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૧૭:૨૭)
૧૦.જ્યારે કોઈ મુદ્દા સાથે તમારે કશી લેવાદેવા ન હોય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૧૪:૧૦)
૧૧. જ્યારે તમને હળાહળ અસત્ય બોલવાની લાલચ થાય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૪:૨૪)
૧૨.જ્યારે તમારા શબ્દો અન્ય કોઈની પ્રતિભાને ઠેસ પહોંચાડનારા હોય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૧૬:૨૭)
૧૩. જ્યારે તમારા શબ્દો કોઈની મિત્રતા તોડનારા હોય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૧૬:૨૮)
૧૪.જ્યારે તમે પોતાની જાતને ધર્મસંકટમાં અનુભવો ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (James ૩:૯)
૧૫.તમે કોઈક વાત રાડ પાડ્યા વિના કહી શકો એમ ન હોવ તેવી સ્થિતીમાં મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૨૫:૨૮)
૧૬. જ્યારે તમારા શબ્દો ઇશ્વરને, તમારા મિત્રોને કે તમારા પરીવારજનો ને હલકા ચિતરનારા હોય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (૧ Pt ૨:૨૧-૨૩)
૧૭. પાછળ થી તમારે તમારા શબ્દો ગળી જવા પડે તેમ હોય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૧૮:૨૧)
૧૮. જ્યારે તમે તમારી વાત એક કરતા વધારે વાર દોહરાવી ચૂક્યા હોવ ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૧૯:૧૩)
૧૯. જ્યારે તમને કોઈ લુચ્ચા કે કપટી માણસની પ્રશંસા કરવાનું પ્રલોભન જાગે ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૨૪:૨૪)
૨૦. જ્યારે તમારે બોલવા કરતા કામ કરવાની વધારે જરૂર હોય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૧૪:૨૩)
જે કોઈ પોતાનું મોઢું અને જીભ સંયમમાં રાખે છે તે પોતાના આત્માને મુશ્કેલીઓથી દૂર રાખે છે. (Prov ૨૧:૨૩)
(From Internet)
મૌન વિશેનો લેખ ખુબ સારો હતો.
ReplyDeleteમૌન રહવું એ પણ એક કળા છે. માનવી મૌન રહે તો સફળતા પામી શકે છે.જ્યારે મતભેદ કે મનભેદ અને દલીલો ચાલુ હોય ત્યારે મૌન જાળવવું જરૂરી છે.મૌન દ્વારા માનવીમાં રહેલા ધીરજ અને શાંતતાના દર્શન થાય છે.
ReplyDelete