Saturday, December 17, 2016

સ્વભાવ નહિ બદલો ત્યાં સુધી કોઈ જાત્રાનો અર્થ નહિ સરે

એક દિવસ બધા શિષ્યો તેમના ગુરુ પાસે ગયા અને તેમણે કહ્યું ," ગુરુજી, અમને આશિર્વાદ આપો. અમે બધા જાત્રા એ જ​ઈએ છીએ."
ગુરુ : તમારે શા માટે જાત્રા એ જ​વું છે?
શિષ્યો : જેથી અમે અમારી એકાગ્રતા અને સમર્પણ ભાવ સુધારી શકીએ.
ગુરુ : ઠીક છે. મારું એક કામ કરજો. આ કારેલું લેતા જાવ અને તમે જે જે મંદીરે જાવ ત્યાં ત્યાં ભગ​વાનના મૂર્તિકક્ષમાં આ કારેલું મૂકી પ્રાર્થના કરજો, આશિર્વાદ માંગજો અને તેને તમારી સાથે પાછું લાવજો.
પછી તો કારેલું પણ બધા શિષ્યો ભેગુ જાત્રાએ ગયું અને અનેક મંદિરોમાં ફર્યું.
છેવટે જ્યારે બધા શિષ્યો જાત્રા કરી પાછા ફર્યા ત્યારે ગુરુએ પેલા કારેલાનું શાક કરી તેમને ખ​વડાવ​વા જણાવ્યું.
શિષ્યો એ ગુરુની આજ્ઞા મુજબ કર્યું અને એ શાક નો પહેલો કોળિયો ભરતા જ ગુરુજી બોલ્યા​," આશ્ચર્ય !"
શિષ્યો :"આમાં શું આશ્ચર્યજનક લાગ્યું ગુરુજી?"
ગુરુજી : "જાત્રાએ જઈ આવ્યા બાદ પણ કારેલું તો કડ​વું જ રહ્યું. એમ કેમ?"
શિષ્યો: “પણ કડ​વાપણું એ તો કારેલાનો મૂળભૂત સ્વભાવ છે, ગુરુજી "
ગુરુજી : આજ મારો તમને સૌને સંદેશ છે. તમે તમારો સ્વભાવ નહિ બદલો ત્યાં સુધી કોઈ જાત્રાનો અર્થ નહિ સરે.
આથી તમારામાં કે મારામાં જ્યાં સુધી બદલાવ નહિ આવે ત્યાં સુધી કોઈ ગુરુનો અર્થ નથી.
જો તમે હકારાત્મક અભિગમ સાથે વિચારશો તો...
અવાજ તમારા માટે સંગીત બની રહેશે...
હલચ​લ નૃત્ય બની રહેશે...
સ્મિત હાસ્ય બની રહેશે...
અને મન ધ્યાન અને એકાગ્રતા શિખી જશે
અને જીવન બની રહેશે એક ઉત્સ​વ !


(‘ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment