Saturday, October 18, 2014

દિવાળીનો શુભ સંદેશ


જો તમે દીવો પ્રગટાવશો તો તેની જ્યોત સદાયે ઉપર તરફ જશે. પાણી ભલે નીચે તરફ વહે પણ પ્રકાશ હંમેશા ઉપરની દિશામાં ગતિ કરે છે. આથી પ્રકાશ કે જ્યોત આધ્યાત્મિક માર્ગનો નિર્દેશ કરે છે જેને આપણે બ્રહ્મ માર્ગ કહીએ છીએ. ઉર્ધ્વ દિશા દિવ્ય માર્ગે લઈ જાય છે. માણસે સદાયે ઉર્ધ્વ દિશામાં આગળ વધી નરમાંથી નારાયણ બનવાનું હોય છે, પરમાત્મામાં એકાકાર થવાનું હોય છે. આત્મામાંથી પરમાત્મા બનવા તેણે ઉપરની દિશામાં ગતિ કરવી પડે છે - સદાયે ઉપર તરફ ગતિ કરતા પ્રકાશનો સંદેશ છે, દિવાળીનો સંદેશ છે.

- શ્રી સત્ય સાઈ બાબા

*  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  * 

પ્રેમ અને સમર્પણના દિવા તમારા હ્રદયમાં પ્રકાશમાન થાય...

 
સમજણનો પ્રકાશ તમારા મનને અજવાળે...


સુસંવાદિતાથી તમારૂં ઘર ઝળહળે...


તમારા હાથોમાંથી સેવાના તેજોમય કિરણો સદાયે પ્રકાશિત થયા કરે...


તમારૂં સ્મિત,તમારાં શબ્દો અને તમારાં કર્મો પર્વની મીઠાઈ જેટલા મીઠાં બની રહે...


મા મહાલક્ષ્મી તમારા જીવનમાં સુખ,શાંતિ,સારૂં સ્વાસ્થ્ય અને પ્રેમ લઈ આવી એવી દિવાળીની શુભેચ્છા...


('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment