Saturday, January 4, 2014

શાણપણનાં સૂત્રો


ઇતિહાસ દર્શાવે છે કે મહાન વિજેતાઓએ વિજય મેળવ્યા પહેલા અતિ વિકટ મુશ્કેલીઓનો, અડચણોનો  સામનો કરવો પડ્યો છે.તેઓ જીતી શક્યા કારણકે તેમણે પોતાને મળેલી હારને ગણકારી નહોતી કે તેનાથી તેઓ નિરાશ થયા નહોતા    

~ બેર્ટી સી. ફોર્બ્સ

 * & * & * & * & * & * * & * & * & * & * & * * & * & * & * & * & *

કોઈક વસ્તુને પૂર્ણ કરવા માટે લાગનારા સમય અંગે ચિંતા કર્યા કરી તેની પ્રગતિ અટકાવશો નહિ. સમય તો પસાર થવાનો છે. આપણે વિતતા સમયનો શ્રેષ્ઠ સદુપયોગ કરી લેવો જોઇએ.      

~ અર્લ નાઈટેન્ગલ

* & * & * & * & * & * * & * & * & * & * & * * & * & * & * & * & *

જીવનમાં સાચા પાઠ હંમેશા ખોટા લોકો પાસેથી શિખવા મળતા હોય છે.

* & * & * & * & * & * * & * & * & * & * & * * & * & * & * & * & *

અહમ અને જ્ઞાન વ્યસ્તપ્રમાણમાં હોય છે.જેટલું જ્ઞાન વધુ એટલો અહમ ઓછો અને જેટલું જ્ઞાન ઓછું એટલો અહમ વધારે.

* & * & * & * & * & * * & * & * & * & * & * * & * & * & * & * & *

જે લોકો તમને જાણ્યા વગર તમારા વિષે અનુમાન કરે છે કે ઘસાતું બોલે છે તેમની પરવા કરો.યાદ રાખો કૂતરાં પણ અજાણ્યાને જોઈને ભસે છે.

* & * & * & * & * & * * & * & * & * & * & * * & * & * & * & * & *

જ્યારે નખ લાંબા વધે છે ત્યારે તેમને કાપવામાં આવે છે,આંગળા ને નહિ. રીતે જ્યારે ગેરસમજ વધે ત્યારે તમારા અહમને કાપો,સંબંધોને નહિ.

* & * & * & * & * & * * & * & * & * & * & * * & * & * & * & * & *

જીભમાં હાડકા હોતાં નથી છતાંયે તે હ્રદયને તોડી નાખવા સક્ષમ છે.આથી તમારાં શબ્દો પ્રત્યે ખૂબ સાવધ રહો.

* & * & * & * & * & * * & * & * & * & * & * * & * & * & * & * & *

તમારી પહેલી જીત પછી આરામ કરો.કારણ જો તમે બીજા પ્રયત્નમાં નિષ્ફળ ગયા તો વધારે લોકો એમ કહેવા રાહ જોઇને બેઠા હશે કે તમારો પહેલો વિજયતો નસીબને આભારી હતો.

* & * & * & * & * & * * & * & * & * & * & * * & * & * & * & * & *

હંમેશા તમારા વડીલની સલાહ માનો.એટલા માટે નહિ કારણકે તેઓ હંમેશા સાચા હોય છે પણ તેમનો ખોટા-સાચાનો અનુભવ વધારે હોય છે...

* & * & * & * & * & * * & * & * & * & * & * * & * & * & * & * & *

મૂડીવાદ એટલે વિશ્વના ૪૮ અતિ ગરીબ દેશોનો જી.ડી.પી. આંક સૌથી ધનાઢય એવા દેશોના આંક કરતાં પણ ઓછો હોય છે.

* & * & * & * & * & * * & * & * & * & * & * * & * & * & * & * & *

તીર પહેલા થોડું પાછળ ખેંચાયા બાદ છૂટી શકે છે.જ્યારે જીવનમાં મુશ્કેલીઓને લીધે પીછેહઠ કરવાનો સમય આવે ત્યારે એમ વિચારો કે તમને આગળ તરફ લઈ જવા માટે છે.

* & * & * & * & * & * * & * & * & * & * & * * & * & * & * & * & *

જીવન પ્રત્યેનો શ્રેષ્ઠ અભિગમ - " હા, મેં જીવનમાં અનેક ભૂલો કરી છે.કારણ જીવન કંઈ યુઝર મેન્યુઅલ સાથે નથી આવતું! "

મારું જીવન,મારી રીતે,મારા નિયમોથી...


('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment