Saturday, October 6, 2012

ગાંધીજીએ અંચઈ કરવાની ના પાડી

મોહનદાસ કરમચંદ ગાંધી રાજકોટની આલ્ફ્રેડ હાઈ સ્કૂલમાં ભણ્યા હતા.તે ભણવામાં ખૂબ હોંશિયાર વિદ્યાર્થી નહોતા પણ ખૂબ મહેનતુ હતા. તેમના પ્રથમ વર્ષ દરમ્યાન,એક વાર સ્કૂલ ઇન્સ્પેક્ટર મિસ્ટર ગાઈલ્સ તેમના ક્લાસમાં વિઝિટ માટે આવ્યા. વિદ્યાર્થીઓની સાચા સ્પેલિંગ્સ લખવાની ક્ષમતા ચકાસવા તેમણે દરેક વિદ્યાર્થીને પાંચ શબ્દો પોતપોતાની સ્લેટ્સ પર લખવા માટે કહ્યું.તેમાંનો એક શબ્દ હતો 'Kettle'. બાળક ગાંધીએ આ શબ્દનો સ્પેલિંગ ખોટો લખ્યો.આ વાત તેમના ક્લાસટીચરના ધ્યાનમાં આવી ગઈ.તેમણે ગાંધીજીને ઇશારો કરી આ સ્પેલિંગ પાડોશી વિદ્યાર્થીની સ્લેટમાં જોઈ સુધારી લેવા જણાવ્યું.


“ ક્લાસ ટીચરે પોતાના બૂટ મારા પગ પર દાબી મને ઇશારો કરવા પ્રયત્નો કર્યા પણ મેં તે તરફ બિલકુલ ધ્યાન આપ્યું નહિં.” ગાંધીજી એ પાછળથી તેમની આત્મકથા 'સત્યના પ્રયોગો'માં આ પ્રમાણે લખ્યું હતું.

ટીચરને લાગ્યું કે તેમના વિદ્યાર્થીઓ જો ખોટા સ્પેલિંગ્સ લખશે તો તેમની છબી ખરડાઈ જશે આથી તેમણે ગાંધીજીને અંચઈ કરવા કહ્યું.ગાંધીજીએ એમ કર્યું નહિં કારણ તેઓ જાણતા હતા કે નકલ કરવી ખોટું છે.જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે ગાંધીજી એક માત્ર વિદ્યાર્થી હતા જેનો સ્પેલિંગ ખોટો હોય.બીજા બધાં વિદ્યાર્થીઓએ પાંચેપાંચ સ્પેલિંગ્સ સાચા લખ્યાં હતાં.પણ આજે આખા વિશ્વમાં માત્ર ગાંધીજી પૂજાય છે.

ગાંધીજીએ બાર વર્ષના એક બાળક તરીકે કહ્યું,"હું માનતો હતો કે ટીચરનું કામ અમને નકલ કરતાં રોકવાનું છે પછી શા માટે મારા ક્લાસ ટીચર મને એમ કરવા ઇશારો કરતા હતા એ સમજાયું નહિં, તેમ છતાં આ પ્રસંગ બાદ પણ મારા શિક્ષક પ્રત્યેનું માન મારી નજરમાં જરાય ઘટ્યું નહોતું."

એવી કોઈ પણ વ્યક્તિ હશે જેને ચિંતાઓ કે તણાવ મુક્ત સ્મિતોથી ભરેલું જીવન જીવવું ગમતું ન હોય? ગાંધીજી પણ એ મેળવવા જીવનનો સરળ માર્ગ પસંદ કરી શક્યા હોત. પણ તેમણે હંમેશા સત્યનો માર્ગ જ પસંદ કર્યો, ભલે પછી એ ગમે એટલો કઠણ કેમ ન હોય.અને આમ તેમણે જીવનપર્યંત કર્યું.

માણસ તરીકે તમારી પાસે સાચું શું અને ખોટું શું એ પારખવાની શક્તિ રહેલી છે.પણ તમારે જે સાચું છે તેને વળગી રહેવાની હિંમત કેળવવાની જરૂર છે.


('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment