Sunday, September 6, 2020

રતન ટાટાના હકારાત્મક વિચારો

નિષ્ણાતો કોરોનાને કારણે અર્થતંત્રને ભારે નુકસાન થશે એવું સૂચવી રહ્યાં છે. હું આ નિષ્ણાતો વિશે વધુ જાણતો નથી. પણ મને ખાતરી છે કે તેઓ માનવીની ધગશ, ખંત અને કૃતનિશ્ચયી પ્રયત્નોના મહત્વ અંગે જાણતા નથી.

જો નિષ્ણાતોના કહેવા પર વિશ્વાસ કરીએ તો, બીજા વિશ્વયુદ્ધમાં સંપૂર્ણપણે ધ્વસ્ત થયા બાદ જાપાનનું કોઈ ભવિષ્ય નહોતું. પણ એ જ જાપાને માત્ર ત્રણ દાયકાના ટૂંકા ગાળામાં વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકાને બજારમાં હંફાવ્યું.

જો નિષ્ણાતોના કહેવા પર વિશ્વાસ કરીએ તો, આરબો દ્વારા ઇઝરાયલ વિશ્વના નકશામાંથી ભૂંસાઈ જવું જોઈતું હતું પણ સત્ય આજે એથી વેગળું છે.

એરોડાઈનામિકસના સિદ્ધાંતો મુજબ ભમરો ઉડી જ શકવો જોઈએ નહીં, પણ ભમરો ઉડે છે કારણ તે એરોડાઈનામિકસના સિદ્ધાંતો જાણતો નથી.

જો નિષ્ણાતોના કહેવા પર વિશ્વાસ કરીએ તો, આપણે ક્રિકેટના ૧૯૮૩ વિશ્વકપની ફાઇનલમાં  હોવા જોઈતા નહોતા.

જો નિષ્ણાતોના કહેવા પર વિશ્વાસ કરીએ તો, એથ્લેટિક્સમાં સૌ પ્રથમ વાર ચાર સુવર્ણચંદ્રક જીતનાર અમેરીકન મહિલા વિલ્મા રૂડોલ્ફ, દોડવું તો દૂર રહ્યું, બ્રેસિસ(કાખઘોડી) વગર ચાલી પણ શકે એમ નહોતું.

જો નિષ્ણાતોના કહેવા પર વિશ્વાસ કરીએ તો, અરુણીમા સિંહા સહેલાઈથી સામાન્ય જીવન જીવી શકે તેવી શક્યતા નહોતી, પણ અરુણીમાએ માઉન્ટ એવરેસ્ટના શિખરો સર કર્યાં.

કોરોના મહા સંકટ પણ કંઈ જુદું નથી. મને કોઈ શંકા નથી કે આપણે કોરોના વાઇરસને મહાત આપી જલ્દી આ સંકટ માંથી ઊગરી જઈશું અને ભારતીય અર્થતંત્ર ફરી જલ્દી જ બેઠું થઈ જશે.

- રતન ટાટા 

(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment