Saturday, October 28, 2017

સકારાત્મક દ્રષ્ટીકોણ

ગુરુને શિષ્યે કહ્યું,”ગુરુદેવએક વ્યક્તિએ આશ્રમ માટે એક ગાય ભેટમાં આપી છે.”
ગુરુ  કહ્યું,”સારું થયુંદૂધ પીવા મળશે.”
એક અઠવાડિયા પછી શિષ્યે ફરી ગુરુ પાસે આવી કહ્યું,”ગુરુદેવજે વ્યક્તિ  ગાય ભેટમાં આપી હતી,  ગાય પાછી લઈ ગયો.”
ગુરુએ કહ્યું,”સારું થયુંછાણ ઉપાડવા ની ઝંઝટ માંથી મુક્તિ મળી!“
પરિસ્થિતિ બદલાય તો  પ્રમાણે તમારી મનઃસ્થિતિ બદલો.
પછી જુઓ કેમ તમારા સઘળાં દુ: સુખમાં પરિવર્તિત થઈ જાય છે.
આખરે સુખ-દુ: મનનાં  સમીકરણ તો છે!  
એક અંધ વ્યક્તિને મંદીર આવેલો જોઇ લોકોએ હસતાં હસતાં તેને પૂછ્યું ,"તું મંદીર તો આવ્યો છે પણ ભગવાનને જોઇ શકીશ ખરો?"
તે અંધ વ્યક્તિએ વાબ આપ્યો,"હું જોઈ શકું કે  જોઇ શકું એથી શો ફેર પડે છે?મારો ભગવાનતો મને જોઇ  શકે છે!"
દ્રષ્ટી નહિ,દ્રષ્ટીકોણ સકારાત્મક જોઇએ.
સદાયે હસતા રહો,હસાવતા રહો.


(ઈન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment