યૂરો એક્ઝિમ બેંક ના સી.ઈ.ઓ. સંજય ઠકરારની એક નાનકડી વાતે અર્થશાસ્ત્રીઓને વિચાર કરતા કરી મૂક્યા.
તેમણે કહ્યું :
એક સાઇકલિસ્ટ (સાઇકલ ચલાવનાર) દેશના અર્થતંત્ર માટે સૌથી મોટો ખતરો છે (!).
- તે ગાડી ખરીદતો નથી કે નથી કાર લોન લેતો.
- તે કાર નો વીમો ખરીદતો નથી.
- તે પેટ્રોલ કે ડીઝલ ખરીદતો નથી.
- તે કાર સર્વિસીંગ કે રીપેર માટે મોકલતો નથી.
- તે પેઇડ પાર્કિંગનો ઉપયોગ કરતો નથી.
- તે જાડિયો થતો નથી (!).
- હા... સાલા, તંદુરસ્ત લોકોની અર્થતંત્રને જરુર નથી. તેઓ દવાઓ ખરીદતા નથી. હોસ્પિટલ કે ડોક્ટર ની મુલાકાત લેતા નથી. તેઓ દેશના જી. ડી. પી. માં કશો ઉમેરો કરતા નથી.
ઊલટાનું, મૅકડોનાલ્ડ જેવા જંક ફૂડ સ્ટોર્સ ઓછામાં ઓછી ૩૦ રોજગારની તકો ઉભી કરે છે - ૧૦ કાર્ડિયોલોજીસ્ટ, ૧૦ ડેન્ટિસ્ટ, ૧૦ વજન ઉતારવાની ગેરન્ટી આપતા નિષ્ણાત અને પાછું આ સ્ટોર્સ માં કામ કરતા સ્ટાફના માણસો ની નોકરી તો અલગ!
હવે તમે જ કહો શું દેશના અર્થતંત્ર માટે વધારે મહત્વનું છે : સાઇકલિસ્ટ કે મૅકડોનાલ્ડ?
(ઇન્ટરનેટ પરથી)
Showing posts with label motivation. Show all posts
Showing posts with label motivation. Show all posts
Sunday, September 8, 2019
Sunday, April 7, 2019
મૂલ્યોની અદલાબદલી
મને વહેલી સવારે ૪ વાગે એક સપનું આવ્યું અને હું સફાળો જાગી ગયો. હું એક અતિ ભવ્ય અને મોટા શોપીંગ મોલમાં હતો. મારે મોજાની એક જોડ અને ગળામાં પહેરવાની ટાઇ ખરીદવા હતાં. હું એક દુકાનમાં દાખલ થયો અને મેં એક સ્વેટર જોયું જેના પર પ્રાઇઝ ટેગ લગાડેલું હતું નવ હજાર રૂપિયાનું. બાજુમાં એક જીન્સ હતું દસ હજાર રૂપિયાના પ્રાઇઝ ટેગ સાથે અને મોજા આઠ હજાર અને ટાઇ સોળ હજાર રૂપિયાના પ્રાઇઝ ટેગ સાથે!
મારી નજર કોઈ સેલ્સમેનને શોધવા માંડી જેની સાથે હું આ અસામાન્ય ભાવો અંગે ચર્ચા કરી શકું. એક સેલ્સમેન મને કાંડા - ઘડિયાળ વાળા કાઉન્ટર પર જોવા મળ્યો જે એક ગ્રાહકને સવા બસો રૂપિયાની રોલેક્સ ઘડિયાળ વેચી રહ્યો હતો. બાજુના એક અન્ય કાઉન્ટર પર કાચના ખાનામાં ઝગારા મારતી સાચા હીરાની વીંટી માત્ર પંચાણુ રૂપિયાના પ્રાઇઝ ટેગ સાથે વેચવા મૂકેલી જોવા મળી.
આભા બની ગયેલા મેં સેલ્સમેનને પૂછ્યું, "રોલેક્સની ઘડિયાળ અહીં કઈ રીતે સવા બસો રૂપિયામાં અને મામૂલી મોજાંની જોડ આઠ હજાર રૂપિયામાં વેચવામાં આવે છે?"
તેણે જવાબ આપ્યો, "ગઈ કાલે રાત્રે કોઈકે દુકાનમાં પ્રવેશી બધી ચીજ વસ્તુઓના પ્રાઇઝ ટેગ્સની અદલાબદલી કરી નાંખી છે. ત્યારથી બધા મૂંઝાયેલા છે. લોકો એ રીતે વર્તી રહ્યાં છે જાણે તેઓ સાચા ભાવનાં મૂલ્ય અંગેનું ભાન ભૂલી બેઠાં હોય. તેઓ સાવ મામૂલી ચીજ માટે મસમોટી કિંમત ખર્ચવા તૈયાર છે અને અતિ મોંઘી, મૂલ્યવાન ચીજ સાવ નજીવા ભાવે ખરીદવા રાજી થઈ ગયા છે. એમ લાગે છે જાણે તેમને ખબર જ નથી કે શું મૂલ્યવાન હોવું જોઈએ અને શું નહીં. ભગવાન કરે ને બધાં પ્રાઇઝ ટેગ્સ ફરી યથાવત તેમના યોગ્ય સ્થાને આવી જાય. લોકોને આમ સાવ સસ્તી ચીજ આસમાની ભાવે ખરીદતા જોઈ મને દયા આવે છે. "
... અને હું સફાળો જાગી ગયો! મને વિચાર આવ્યો કે આપણાં જીવનની સ્થિતી પણ કદાચ આ સ્વપ્ન જેવી જ છે. કોઈકે આપણા જીવનમાં આવી સઘળાં પ્રાઇઝ ટેગ્સ આમતેમ ફેરવી નાખ્યાં છે.
સ્પર્ધા, સત્તા, પદવીઓ, ખ્યાતિ, બઢતી, દેખાવ, પૈસા અને સમાજમાં સ્થાન જેવી બાબતોનું મૂલ્ય ઘણું વધારી દેવાયું છે અને સુખ, પરિવાર, સંબંધો, માનસિક શાંતિ, સંતોષ, પ્રેમ, જ્ઞાન, દયા અને મિત્રતા જેવી સારી વાતો પર મસમોટું ડિસ્કાઉંટ મૂકી દેવાયું છે.
આપણે સૌ મેં જોયેલું સ્વપ્ન જીવી રહ્યાં છીએ... હું આશા રાખું છું કે આપણે સૌ સમયસર જાગી જઈએ....
(ઇન્ટરનેટ પરથી)
મારી નજર કોઈ સેલ્સમેનને શોધવા માંડી જેની સાથે હું આ અસામાન્ય ભાવો અંગે ચર્ચા કરી શકું. એક સેલ્સમેન મને કાંડા - ઘડિયાળ વાળા કાઉન્ટર પર જોવા મળ્યો જે એક ગ્રાહકને સવા બસો રૂપિયાની રોલેક્સ ઘડિયાળ વેચી રહ્યો હતો. બાજુના એક અન્ય કાઉન્ટર પર કાચના ખાનામાં ઝગારા મારતી સાચા હીરાની વીંટી માત્ર પંચાણુ રૂપિયાના પ્રાઇઝ ટેગ સાથે વેચવા મૂકેલી જોવા મળી.
આભા બની ગયેલા મેં સેલ્સમેનને પૂછ્યું, "રોલેક્સની ઘડિયાળ અહીં કઈ રીતે સવા બસો રૂપિયામાં અને મામૂલી મોજાંની જોડ આઠ હજાર રૂપિયામાં વેચવામાં આવે છે?"
તેણે જવાબ આપ્યો, "ગઈ કાલે રાત્રે કોઈકે દુકાનમાં પ્રવેશી બધી ચીજ વસ્તુઓના પ્રાઇઝ ટેગ્સની અદલાબદલી કરી નાંખી છે. ત્યારથી બધા મૂંઝાયેલા છે. લોકો એ રીતે વર્તી રહ્યાં છે જાણે તેઓ સાચા ભાવનાં મૂલ્ય અંગેનું ભાન ભૂલી બેઠાં હોય. તેઓ સાવ મામૂલી ચીજ માટે મસમોટી કિંમત ખર્ચવા તૈયાર છે અને અતિ મોંઘી, મૂલ્યવાન ચીજ સાવ નજીવા ભાવે ખરીદવા રાજી થઈ ગયા છે. એમ લાગે છે જાણે તેમને ખબર જ નથી કે શું મૂલ્યવાન હોવું જોઈએ અને શું નહીં. ભગવાન કરે ને બધાં પ્રાઇઝ ટેગ્સ ફરી યથાવત તેમના યોગ્ય સ્થાને આવી જાય. લોકોને આમ સાવ સસ્તી ચીજ આસમાની ભાવે ખરીદતા જોઈ મને દયા આવે છે. "
... અને હું સફાળો જાગી ગયો! મને વિચાર આવ્યો કે આપણાં જીવનની સ્થિતી પણ કદાચ આ સ્વપ્ન જેવી જ છે. કોઈકે આપણા જીવનમાં આવી સઘળાં પ્રાઇઝ ટેગ્સ આમતેમ ફેરવી નાખ્યાં છે.
સ્પર્ધા, સત્તા, પદવીઓ, ખ્યાતિ, બઢતી, દેખાવ, પૈસા અને સમાજમાં સ્થાન જેવી બાબતોનું મૂલ્ય ઘણું વધારી દેવાયું છે અને સુખ, પરિવાર, સંબંધો, માનસિક શાંતિ, સંતોષ, પ્રેમ, જ્ઞાન, દયા અને મિત્રતા જેવી સારી વાતો પર મસમોટું ડિસ્કાઉંટ મૂકી દેવાયું છે.
આપણે સૌ મેં જોયેલું સ્વપ્ન જીવી રહ્યાં છીએ... હું આશા રાખું છું કે આપણે સૌ સમયસર જાગી જઈએ....
(ઇન્ટરનેટ પરથી)
Monday, March 18, 2019
સંપર્ક અને જોડાણ વચ્ચેનો ભેદ
રામકૃષ્ણ મિશનના એક સંતનો ઇન્ટરવ્યૂ ન્યૂયોર્કના એક પત્રકાર દ્વારા લેવાઈ રહ્યો હતો. પહેલેથી તૈયારી કર્યા મુજબ પત્રકાર સંતને પ્રશ્નો પૂછી રહ્યો હતો.
પત્રકાર - "સર, તમારા ગત પ્રવચનમાં તમે અમને જોગાજોગ (સંપર્ક) અને સંજોગ (જોડાણ) અંગે કહ્યું હતું. પણ એ મૂંઝાવનારું છે. તમે એ ફરી થોડું વધુ સ્પષ્ટ રીતે સમજાવી શકશો? "
સંતે સસ્મિત પ્રશ્નનો સીધો જવાબ આપવાને બદલે પત્રકારને પ્રતિ પ્રશ્ન કર્યો, "શું તમે ન્યૂયોર્કથી આવો છો?" પત્રકારે હકારમાં જવાબ આપ્યો.
સંત - "તમારે ઘેર કોણ કોણ છે?"
પત્રકારને લાગ્યું કે સંત તેનો પ્રશ્ન ટાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે કારણ તેમનો આ સામો પ્રશ્ન અતિ અંગત અને બિનઅપેક્ષિત અને બિનજરૂરી જણાતો હતો.
આમ છતાં પત્રકારે જવાબ આપ્યો," મારી માતા મૃત્યુ પામી છે. પિતા હયાત છે. મારા ત્રણ ભાઈઓ અને એક બહેન છે જે બધાં પરણેલા છે."
સંતે મુખ પરનું સ્મિત જાળવી રાખતા પૂછ્યું, "શું તમે તમારા પિતાજી સાથે વાતચીત કરો છો?"
પત્રકારના મુખ પર સ્પષ્ટ દેખાય એવા અણગમાના ભાવ ઉપસી આવ્યાં. સંતે આગળ ચલાવ્યું, "તેમની સાથે તમે છેલ્લે ક્યારે વાત કરી હતી?"
પત્રકારે પોતાની નારાજગી દબાવી જવાબ આપ્યો, "કદાચ એક મહિના પહેલા."
સંતે નવો પ્રશ્ન પૂછ્યો, "તમે બધાં ભાઈ - બહેન વારે ઘડીએ મળો છો? તમારા પરિવારનું સમૂહ મિલન છેલ્લે ક્યારે મળ્યું હતું? “
હવે પત્રકારના કપાળે પરસેવાના ટીપાં બાઝી ગયાં. ઇન્ટરવ્યૂ કોણ લઈ રહ્યું હતું પત્રકાર કે સંત? એમ લાગતું હતું કે જાણે સંત પત્રકારનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા હોય!
નિસાસા સાથે પત્રકારે જવાબ આપ્યો, "બે વર્ષ અગાઉ અમે બધાં સાથે નાતાલ વખતે મળ્યાં હતાં."
સંતે પૂછ્યું, "કેટલાં દિવસ તમે બધાં સાથે રહ્યાં હતાં?"
પત્રકારે કપાળ પરથી પરસેવો લૂછતાં જવાબ આપ્યો, "ત્રણ દિવસ..."
સંતે પૂછ્યું, "તમારા પિતાની બરાબર બાજુમાં બેસીને તમે કેટલો સમય પસાર કર્યો હતો? “
પત્રકારે હવે મૂંઝારો અને શર્મિંદગી અનુભવતા કાગળ પર કંઈક લખવાનું શરૂ કર્યું.
સંતના પ્રશ્નોનો જાણે અંત જ નહોતો આવતો! તેમણે પૂછ્યું," તમે સવારનો નાસ્તો, બપોરનું જમણ કે રાત્રિનું ભોજન સાથે લીધા હતા? તમે તેમને પૂછ્યું હતું કે તેઓ કેમ છે? તમે તેમને પૂછ્યું હતું કે તમારી માતાના અવસાન પછી તેમનો સમય કઈ રીતે પસાર થઈ રહ્યો છે?"
પત્રકારની આંખોમાંથી અશ્રુની સરવાણી વહી રહી.
સંતે પત્રકારનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું," દુ:ખી કે નારાજ ન થાઓ. જો મેં અજાણતા તમને દુભવ્યા હોય તો હું એ બદલ દિલગીર છું, મને માફ કરી દેશો...
પણ આ તમારા જોગાજોગ અને સંજોગ(સંપર્ક અને જોડાણ) અંગે ના પ્રશ્ન નો જવાબ છે. તમારો તમારા પિતા સાથે સંપર્ક છે પણ તમારું તેમની સાથે જોડાણ નથી. તમે તેમની સાથે જોડાયેલા નથી. જોડાણ હ્રદયથી હ્રદય સાથેનું હોય છે. સાથે બેસવું, સાથે જમવું, એકમેકની કાળજી કરવી, સ્પર્શ, હાથ મિલાવવો, આંખમાં આંખ મિલાવવી, સાથે સમય પસાર કરવો... આ બધું જોડાણમાં હોય છે. તમે બધાં ભાઈ-બહેન પણ સંપર્કમાં છો, પણ તમારી વચ્ચે જોડાણ નથી.
પત્રકારે આંખો લૂંછતાં કહ્યું, "મને આ ક્યારેય ન ભૂલી શકાય એવો સુંદર પાઠ શીખવવા બદલ તમારો ખૂબ આભાર."
આ આજના સમયની વાસ્તવિકતા છે. ઘરમાં કે સમાજમાં બધાં સંપર્કમાં હોય છે પણ તેઓનું એકમેક સાથે જોડાણ હોતું નથી. તેમની વચ્ચે સંવાદ નથી સધાતો, દરેક પોતપોતાની દુનિયામાં ડૂબેલા હોય છે.
ચાલો, આપણે સંકલ્પ કરીએ કે માત્ર સંપર્કો ન વધારતા, આત્મીયજનો સાથે જોડાણ સાધીશું,તેમની કાળજી કરીશું, તેમની સાથે સુખ દુઃખ વહેંચીશું અને તેમની સાથે સમય વ્યતિત કરીશું.
આ સંત એ બીજું કોઈ નહીં પણ સ્વામી વિવેકાનંદ હતાં.
(ઇન્ટરનેટ પરથી)
સંતે સસ્મિત પ્રશ્નનો સીધો જવાબ આપવાને બદલે પત્રકારને પ્રતિ પ્રશ્ન કર્યો, "શું તમે ન્યૂયોર્કથી આવો છો?" પત્રકારે હકારમાં જવાબ આપ્યો.
સંત - "તમારે ઘેર કોણ કોણ છે?"
પત્રકારને લાગ્યું કે સંત તેનો પ્રશ્ન ટાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે કારણ તેમનો આ સામો પ્રશ્ન અતિ અંગત અને બિનઅપેક્ષિત અને બિનજરૂરી જણાતો હતો.
આમ છતાં પત્રકારે જવાબ આપ્યો," મારી માતા મૃત્યુ પામી છે. પિતા હયાત છે. મારા ત્રણ ભાઈઓ અને એક બહેન છે જે બધાં પરણેલા છે."
સંતે મુખ પરનું સ્મિત જાળવી રાખતા પૂછ્યું, "શું તમે તમારા પિતાજી સાથે વાતચીત કરો છો?"
પત્રકારના મુખ પર સ્પષ્ટ દેખાય એવા અણગમાના ભાવ ઉપસી આવ્યાં. સંતે આગળ ચલાવ્યું, "તેમની સાથે તમે છેલ્લે ક્યારે વાત કરી હતી?"
પત્રકારે પોતાની નારાજગી દબાવી જવાબ આપ્યો, "કદાચ એક મહિના પહેલા."
સંતે નવો પ્રશ્ન પૂછ્યો, "તમે બધાં ભાઈ - બહેન વારે ઘડીએ મળો છો? તમારા પરિવારનું સમૂહ મિલન છેલ્લે ક્યારે મળ્યું હતું? “
હવે પત્રકારના કપાળે પરસેવાના ટીપાં બાઝી ગયાં. ઇન્ટરવ્યૂ કોણ લઈ રહ્યું હતું પત્રકાર કે સંત? એમ લાગતું હતું કે જાણે સંત પત્રકારનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા હોય!
નિસાસા સાથે પત્રકારે જવાબ આપ્યો, "બે વર્ષ અગાઉ અમે બધાં સાથે નાતાલ વખતે મળ્યાં હતાં."
સંતે પૂછ્યું, "કેટલાં દિવસ તમે બધાં સાથે રહ્યાં હતાં?"
પત્રકારે કપાળ પરથી પરસેવો લૂછતાં જવાબ આપ્યો, "ત્રણ દિવસ..."
સંતે પૂછ્યું, "તમારા પિતાની બરાબર બાજુમાં બેસીને તમે કેટલો સમય પસાર કર્યો હતો? “
પત્રકારે હવે મૂંઝારો અને શર્મિંદગી અનુભવતા કાગળ પર કંઈક લખવાનું શરૂ કર્યું.
સંતના પ્રશ્નોનો જાણે અંત જ નહોતો આવતો! તેમણે પૂછ્યું," તમે સવારનો નાસ્તો, બપોરનું જમણ કે રાત્રિનું ભોજન સાથે લીધા હતા? તમે તેમને પૂછ્યું હતું કે તેઓ કેમ છે? તમે તેમને પૂછ્યું હતું કે તમારી માતાના અવસાન પછી તેમનો સમય કઈ રીતે પસાર થઈ રહ્યો છે?"
પત્રકારની આંખોમાંથી અશ્રુની સરવાણી વહી રહી.
સંતે પત્રકારનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું," દુ:ખી કે નારાજ ન થાઓ. જો મેં અજાણતા તમને દુભવ્યા હોય તો હું એ બદલ દિલગીર છું, મને માફ કરી દેશો...
પણ આ તમારા જોગાજોગ અને સંજોગ(સંપર્ક અને જોડાણ) અંગે ના પ્રશ્ન નો જવાબ છે. તમારો તમારા પિતા સાથે સંપર્ક છે પણ તમારું તેમની સાથે જોડાણ નથી. તમે તેમની સાથે જોડાયેલા નથી. જોડાણ હ્રદયથી હ્રદય સાથેનું હોય છે. સાથે બેસવું, સાથે જમવું, એકમેકની કાળજી કરવી, સ્પર્શ, હાથ મિલાવવો, આંખમાં આંખ મિલાવવી, સાથે સમય પસાર કરવો... આ બધું જોડાણમાં હોય છે. તમે બધાં ભાઈ-બહેન પણ સંપર્કમાં છો, પણ તમારી વચ્ચે જોડાણ નથી.
પત્રકારે આંખો લૂંછતાં કહ્યું, "મને આ ક્યારેય ન ભૂલી શકાય એવો સુંદર પાઠ શીખવવા બદલ તમારો ખૂબ આભાર."
આ આજના સમયની વાસ્તવિકતા છે. ઘરમાં કે સમાજમાં બધાં સંપર્કમાં હોય છે પણ તેઓનું એકમેક સાથે જોડાણ હોતું નથી. તેમની વચ્ચે સંવાદ નથી સધાતો, દરેક પોતપોતાની દુનિયામાં ડૂબેલા હોય છે.
ચાલો, આપણે સંકલ્પ કરીએ કે માત્ર સંપર્કો ન વધારતા, આત્મીયજનો સાથે જોડાણ સાધીશું,તેમની કાળજી કરીશું, તેમની સાથે સુખ દુઃખ વહેંચીશું અને તેમની સાથે સમય વ્યતિત કરીશું.
આ સંત એ બીજું કોઈ નહીં પણ સ્વામી વિવેકાનંદ હતાં.
(ઇન્ટરનેટ પરથી)
Saturday, March 9, 2019
પડતું મૂકો
એક વાર એક કાગડો ખોરાકનો ટુકડો ચાંચ માં પકડી શાંતિથી બેસીને ખાઈ શકાય એવી જગા શોધતો અહીં-તહીં ઉડી રહ્યો હતો. તેની પાછળ સમડીઓનું એક ટોળું પડયું અને કાગડો થોડો અસ્વસ્થ થઈ વધુ ને વધુ ઉંચે ઉડવા માંડ્યો. પણ સમડીઓએ બિચારા કાગડાનો પીછો છોડ્યો નહીં.
ત્યાં જ એક ગરુડને કાગડાની આંખમાંના ભય અને ઉચાટ નજરે પડ્યા અને તેણે કાગડાની બાજુમાં ઉડતા ઉડતા પહોંચી જઈ પૂછ્યું, "શું વાત છે, તારી આંખોમાં ભારે થાક, ચિંતા અને નિરાશા દેખાય છે?"
કાગડાએ જવાબ આપ્યો, "આ સમડીઓ જુઓ ને, મારા જીવની પાછળ પડી છે."
ગરુડ તો રહ્યું શાણપણનાં ભંડાર સમુ પક્ષી! તેણે કાગડાને સલાહ આપી, "હે મિત્ર, તેઓ તારી જાનની પાછળ નથી. તેઓ તારી ચાંચમાં તે પકડેલા માંસના ટુકડા પાછળ છે. એ છોડી દે અને જો શું થાય છે!"
કાગડાએ ગરુડની સલાહ અનુસાર માંસનો ટુકડો ચાંચમાંથી છોડી દીધો અને બધી સમડીઓ કાગડાનો પીછો છોડી એ નીચે પડી રહેલા માંસના ટુકડા પાછળ ભાગી!
ગરુડે સ્મિત કરતા કહ્યું, "વેદના કે દુ:ખોનું પણ આવું જ છે. જ્યાં સુધી તમે એને પકડી રાખો ત્યાં સુધી એ તમને પીડે છે. એમને પડતા મૂકી દો!"
કાગડાએ ગરુડને નમન કરતા કહ્યું, "મેં એ માંસનો ટુકડો પડતો મૂકી દીધો અને હવે હું નિશ્ચિંત થઈ વધુ ઉંચે ઉડી શકું છું!"
આ વાર્તામાં આપણાં બધાં માટે એક સંદેશ છે :
લોકો અહમ્ નામના મસમોટા ભારનો બોજો સહન કરતાં હોય છે જેના કારણે તેમની એક આભાસી છબી સર્જાય છે. આના કારણે આપણે કહીએ છીએ મને પ્રેમ જોઈએ છે, મને આમંત્રણ મળવું જોઈએ, હું ફલાણો છું - ઢીંકણો છું... પડતું મૂકો.
બીજાઓની ચેષ્ટાઓ દ્વારા આપણે રોષે ભરાતા હોઈએ છીએ - જે મિત્રો, માતાપિતા, સંતાનો, સહ કર્મચારીઓ, જીવનસાથી કોઈ પણ હોઈ શકે છે. તેમના વર્તનથી અસર પામી આપણે ક્રોધિત થઈ જઈએ છીએ. પડતું મૂકો.
આપણે સતત આપણી જાતની સરખામણી અન્યો સાથે કરતા રહીએ છીએ, સૌંદર્ય બાબતે, સંપત્તિ બાબતે, જીવન શૈલીની દ્રષ્ટિએ, પરીક્ષામાં મેળવેલ માર્કસ, નોકરીમાં મળેલ બઢતી કે કૌશલ્યને લઈને. ઈશ્વરે આપણને જે આપ્યું છે તે બદલ આપણે તેનો આભાર માનવો જોઈએ. સરખામણીને, નકારાત્મક લાગણીઓને પડતાં મૂકો.
(ઇન્ટરનેટ પરથી)
ત્યાં જ એક ગરુડને કાગડાની આંખમાંના ભય અને ઉચાટ નજરે પડ્યા અને તેણે કાગડાની બાજુમાં ઉડતા ઉડતા પહોંચી જઈ પૂછ્યું, "શું વાત છે, તારી આંખોમાં ભારે થાક, ચિંતા અને નિરાશા દેખાય છે?"
કાગડાએ જવાબ આપ્યો, "આ સમડીઓ જુઓ ને, મારા જીવની પાછળ પડી છે."
ગરુડ તો રહ્યું શાણપણનાં ભંડાર સમુ પક્ષી! તેણે કાગડાને સલાહ આપી, "હે મિત્ર, તેઓ તારી જાનની પાછળ નથી. તેઓ તારી ચાંચમાં તે પકડેલા માંસના ટુકડા પાછળ છે. એ છોડી દે અને જો શું થાય છે!"
કાગડાએ ગરુડની સલાહ અનુસાર માંસનો ટુકડો ચાંચમાંથી છોડી દીધો અને બધી સમડીઓ કાગડાનો પીછો છોડી એ નીચે પડી રહેલા માંસના ટુકડા પાછળ ભાગી!
ગરુડે સ્મિત કરતા કહ્યું, "વેદના કે દુ:ખોનું પણ આવું જ છે. જ્યાં સુધી તમે એને પકડી રાખો ત્યાં સુધી એ તમને પીડે છે. એમને પડતા મૂકી દો!"
કાગડાએ ગરુડને નમન કરતા કહ્યું, "મેં એ માંસનો ટુકડો પડતો મૂકી દીધો અને હવે હું નિશ્ચિંત થઈ વધુ ઉંચે ઉડી શકું છું!"
આ વાર્તામાં આપણાં બધાં માટે એક સંદેશ છે :
લોકો અહમ્ નામના મસમોટા ભારનો બોજો સહન કરતાં હોય છે જેના કારણે તેમની એક આભાસી છબી સર્જાય છે. આના કારણે આપણે કહીએ છીએ મને પ્રેમ જોઈએ છે, મને આમંત્રણ મળવું જોઈએ, હું ફલાણો છું - ઢીંકણો છું... પડતું મૂકો.
બીજાઓની ચેષ્ટાઓ દ્વારા આપણે રોષે ભરાતા હોઈએ છીએ - જે મિત્રો, માતાપિતા, સંતાનો, સહ કર્મચારીઓ, જીવનસાથી કોઈ પણ હોઈ શકે છે. તેમના વર્તનથી અસર પામી આપણે ક્રોધિત થઈ જઈએ છીએ. પડતું મૂકો.
આપણે સતત આપણી જાતની સરખામણી અન્યો સાથે કરતા રહીએ છીએ, સૌંદર્ય બાબતે, સંપત્તિ બાબતે, જીવન શૈલીની દ્રષ્ટિએ, પરીક્ષામાં મેળવેલ માર્કસ, નોકરીમાં મળેલ બઢતી કે કૌશલ્યને લઈને. ઈશ્વરે આપણને જે આપ્યું છે તે બદલ આપણે તેનો આભાર માનવો જોઈએ. સરખામણીને, નકારાત્મક લાગણીઓને પડતાં મૂકો.
(ઇન્ટરનેટ પરથી)
Saturday, March 2, 2019
એક બોધકથા : જીંદગી આજમાં જીવો
એક ફકીર નદીને કિનારે બેઠો હતો. કોઈએ તેને પૂછ્યું," બાબા, શું કરો છો? "
ફકીરે જવાબ આપ્યો, "રાહ જોઉં છું ક્યારે આખી આ નદી પસાર થઈ જાય, પછી પેલી પાર જાઉં." પેલી વ્યક્તિએ કહ્યું, "કેવી વાત કરો છો બાબા? આખી નદી પસાર થઈ જવાની રાહ જોયા કરશો તો ક્યારેય તેને પાર કરી શકશો નહીં."
ફકીરે કહ્યું, "એ જ તો હું તમને સૌને ક્યારનો સમજાવવા ઇચ્છું છું કે તમે સૌ હંમેશા કહ્યા કરો છો ને કે એક વાર જીવનની જવાબદારીઓ પૂરી થઈ જાય પછી હું મોજ કરીશ, ફરીશ, સૌને મળીશ, સેવા કરીશ... એ ક્યારેય શક્ય બનવાનું નથી. જેમ નદીનું જળ ખતમ થવાનું નથી અને આપણે જ વહેતા પાણી સાથે તેને પાર કરવાનો માર્ગ શોધવાનો છે તેમ જ જીવન પૂરું થઈ જશે પણ કામો અને જવાબદારીઓ પૂરા થવાના નથી. આથી જીંદગી આજમાં જીવો. "
(ઇન્ટરનેટ પરથી)
ફકીરે જવાબ આપ્યો, "રાહ જોઉં છું ક્યારે આખી આ નદી પસાર થઈ જાય, પછી પેલી પાર જાઉં." પેલી વ્યક્તિએ કહ્યું, "કેવી વાત કરો છો બાબા? આખી નદી પસાર થઈ જવાની રાહ જોયા કરશો તો ક્યારેય તેને પાર કરી શકશો નહીં."
ફકીરે કહ્યું, "એ જ તો હું તમને સૌને ક્યારનો સમજાવવા ઇચ્છું છું કે તમે સૌ હંમેશા કહ્યા કરો છો ને કે એક વાર જીવનની જવાબદારીઓ પૂરી થઈ જાય પછી હું મોજ કરીશ, ફરીશ, સૌને મળીશ, સેવા કરીશ... એ ક્યારેય શક્ય બનવાનું નથી. જેમ નદીનું જળ ખતમ થવાનું નથી અને આપણે જ વહેતા પાણી સાથે તેને પાર કરવાનો માર્ગ શોધવાનો છે તેમ જ જીવન પૂરું થઈ જશે પણ કામો અને જવાબદારીઓ પૂરા થવાના નથી. આથી જીંદગી આજમાં જીવો. "
(ઇન્ટરનેટ પરથી)
Monday, January 21, 2019
આપણાં જીવનમાં ગુરૂની જરૂર શા માટે છે?
એક વાર એક ગાય જંગલમાં ચરવા ગઈ. અચાનક તેણે એક વાઘને પોતાના તરફ ધસતા દીઠો. તેણે ઝડપથી પોતાની દિશા બદલી અને ભાગવા માંડયું. તેને એવો ભય સતાવવા માંડ્યો કે કોઈ પણ ઘડીએ વાઘ તેના પર તરાપ મારી તેના નહોર પોતાના શરીરમાં ઘૂસાડી દેશે. તેણે હાંફળાફાંફળા થઈ બચવા માટે કોઈ સુરક્ષિત જગા શોધવા નજર દોડાવી અને ભાગતા ભાગતા છેવટે તેની નજર એક છીછરા તળાવ પર પડી. વાઘ સાવ નજીક આવી ગયો હોવાને લીધે હવે વધુ કંઈ વિચાર્યા વગર તેણે પાણીમાં છલાંગ લગાવી. પીછો કરતા કરતા વાઘે પણ તેની પાછળ આંધળુકીયું કરી કૂદકો માર્યો.
બંનેના આશ્ચર્ય વચ્ચે તળાવનું પાણી ભલે છીછરું હતું પણ તેમાં કાદવના પડળ પર પડળ હતાં. વાઘે ગાય પર તરાપ તો મારી પણ બંને વચ્ચે થોડું અંતર રહી ગયું અને બંને ગળા સુધી કાદવ માં ફસડાઈ પડયાં. બંનેનાં માથાં પાણીની બહાર હતાં પણ આખું બાકીનું શરીર કાદવમાં બૂરી રીતે ફસાયેલું હતું. તેમણે કાદવમાંથી છૂટવા ખૂબ હવાતિયા માર્યાં પણ તેઓ એમાં વધુ ને વધુ ફસાતા ચાલ્યાં.
આ સ્થિતીમાં પણ વાઘ વારંવાર ગાય તરફ ઘૂરકિયા કરી કહેવાનું ચૂકતો નહોતો, "હું તને ફાડી ખાઈશ. "
ગુસ્સામાં તે ધૂંઆપૂંઆ થઈ ગયો પણ તેનું કંઈ ચાલ્યું નહીં.
ગાયે વાઘને મુક્ત થવા હવાતિયા મારતો જોઈ વિચારશીલ થઈ હસતાં હસતાં પૂછ્યું, "શું તારો કોઈ માલિક છે?"
વાઘે તિરસ્કાર પૂર્વક ઉત્તર આપ્યો, "હું જંગલનો રાજા છું. તું મને શા માટે પૂછે છે કે મારો કોઈ માલિક છે કે નહીં?હું પોતે જ મારો માલિક છું!"
ગાયે કહ્યું," તું ભલે જંગલનો રાજા રહ્યો પણ આજે આ પરિસ્થિતિમાં તારી બધી તાકાત પણ તારો જીવ બચાવી શકશે નહીં."
વાઘે સામો પ્રશ્ન કર્યો, "અને તારું શું થશે?તું યે અહીં કાદવમાં જ મરી જશે!"
ગાયે સસ્મિત મર્માળું હસતાં કહ્યું, "ના, એવું નહીં બને. "
"જો હું જંગલનો રાજા પણ આ કાદવમાંથી મારી જાતને બચાવી શકવાનો ન હોઉં તો તું એક તુચ્છ ગાય કઈ રીતે બચી શકવાની છે?"
ગાયે નમ્રતાપૂર્વક જવાબ આપ્યો, "હું મારી જાતને આ કાદવમાંથી બચાવી શકવાની નથી, પણ મારો માલિક મને ચોક્કસ એમાંથી બચાવી લેશે. જ્યારે અંધારુ થઈ જશે અને હું ઘેર પાછી નહીં ફરું ત્યારે એ મને શોધવા નીકળશે અને ચોક્કસ અહીં સુધી આવી પહોંચશે. હું જ્યારે એને અહીં ફસાયેલી મળી જઈશ એટલે એ મને અહીં થી બહાર કાઢી ઉગારી લેશે અને કાળજીપૂર્વક મને અમારા સુંદર ઘર સુધી દોરી જશે. "
આ કેફિયત સાંભળી વાઘ ચૂપ થઈ ગયો અને તેણે ઠંડા કલેજે ગાય તરફ નિહાળ્યા કર્યું.
પછી થોડા જ સમયમાં સૂર્યાસ્ત થયો અને ખરેખર ગાયનો માલિક તેને શોધતો શોધતો કાદવ ભર્યા તળાવ સુધી આવી પહોંચ્યો. ગાયના કહ્યા મુજબ જ તેણે સાચે પરિસ્થિતીનો તાગ મેળવી લીધો અને કાળજી પૂર્વક ગાયને કાદવમાંથી બહાર કાઢી લીધી. બંને જ્યારે પાછા ઘર તરફ ડગ માંડી રહ્યાં ત્યારે પરસ્પર નવી કૃતજ્ઞતા અનુભવી રહ્યાં. તેમને વાઘની દયા આવી અને વાઘ મોઢું વકાસી તેમને જતાં જોઈ રહ્યો.
આ પ્રતિકાત્મક વાર્તામાં ગાય સમર્પિત હ્રદય છે, વાઘ અહંકારી મન અને માલિક ગુરૂ નું પ્રતિક છે. કાદવ આ દુનિયા છે અને વાઘનો ગાયનો પીછો તેમજ કાદવમાં બચવા માટે હવાતિયા દુનિયામાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાના સંઘર્ષને દર્શાવે છે.
સારાંશ :
-----------
સ્વતંત્ર હોવું, કોઈના પર આધાર ન રાખવો સારું છે. પણ એનો અર્થ એવો નથી કે જીવનમાં ગુરુ નું કોઈ સ્થાન કે મહત્વ નથી. તમને એવા સાથી, શિક્ષક કે માર્ગદર્શકની સદાયે જરૂર હોય છે જે સતત તમારું ધ્યાન રાખી શકે કે જ્યારે જરૂર હોય ત્યારે તમે ચોક્કસ તેમની પાસે જઈ શકો.
એ તમારા જીવનમાં હોય એનો અર્થ એવો નથી કે તમે નબળા છો, તેમની હાજરી કે મદદથી તમે વધુ સક્ષમ જરૂર બની રહો છો.
(ઇન્ટરનેટ પરથી)
બંનેના આશ્ચર્ય વચ્ચે તળાવનું પાણી ભલે છીછરું હતું પણ તેમાં કાદવના પડળ પર પડળ હતાં. વાઘે ગાય પર તરાપ તો મારી પણ બંને વચ્ચે થોડું અંતર રહી ગયું અને બંને ગળા સુધી કાદવ માં ફસડાઈ પડયાં. બંનેનાં માથાં પાણીની બહાર હતાં પણ આખું બાકીનું શરીર કાદવમાં બૂરી રીતે ફસાયેલું હતું. તેમણે કાદવમાંથી છૂટવા ખૂબ હવાતિયા માર્યાં પણ તેઓ એમાં વધુ ને વધુ ફસાતા ચાલ્યાં.
આ સ્થિતીમાં પણ વાઘ વારંવાર ગાય તરફ ઘૂરકિયા કરી કહેવાનું ચૂકતો નહોતો, "હું તને ફાડી ખાઈશ. "
ગુસ્સામાં તે ધૂંઆપૂંઆ થઈ ગયો પણ તેનું કંઈ ચાલ્યું નહીં.
ગાયે વાઘને મુક્ત થવા હવાતિયા મારતો જોઈ વિચારશીલ થઈ હસતાં હસતાં પૂછ્યું, "શું તારો કોઈ માલિક છે?"
વાઘે તિરસ્કાર પૂર્વક ઉત્તર આપ્યો, "હું જંગલનો રાજા છું. તું મને શા માટે પૂછે છે કે મારો કોઈ માલિક છે કે નહીં?હું પોતે જ મારો માલિક છું!"
ગાયે કહ્યું," તું ભલે જંગલનો રાજા રહ્યો પણ આજે આ પરિસ્થિતિમાં તારી બધી તાકાત પણ તારો જીવ બચાવી શકશે નહીં."
વાઘે સામો પ્રશ્ન કર્યો, "અને તારું શું થશે?તું યે અહીં કાદવમાં જ મરી જશે!"
ગાયે સસ્મિત મર્માળું હસતાં કહ્યું, "ના, એવું નહીં બને. "
"જો હું જંગલનો રાજા પણ આ કાદવમાંથી મારી જાતને બચાવી શકવાનો ન હોઉં તો તું એક તુચ્છ ગાય કઈ રીતે બચી શકવાની છે?"
ગાયે નમ્રતાપૂર્વક જવાબ આપ્યો, "હું મારી જાતને આ કાદવમાંથી બચાવી શકવાની નથી, પણ મારો માલિક મને ચોક્કસ એમાંથી બચાવી લેશે. જ્યારે અંધારુ થઈ જશે અને હું ઘેર પાછી નહીં ફરું ત્યારે એ મને શોધવા નીકળશે અને ચોક્કસ અહીં સુધી આવી પહોંચશે. હું જ્યારે એને અહીં ફસાયેલી મળી જઈશ એટલે એ મને અહીં થી બહાર કાઢી ઉગારી લેશે અને કાળજીપૂર્વક મને અમારા સુંદર ઘર સુધી દોરી જશે. "
આ કેફિયત સાંભળી વાઘ ચૂપ થઈ ગયો અને તેણે ઠંડા કલેજે ગાય તરફ નિહાળ્યા કર્યું.
પછી થોડા જ સમયમાં સૂર્યાસ્ત થયો અને ખરેખર ગાયનો માલિક તેને શોધતો શોધતો કાદવ ભર્યા તળાવ સુધી આવી પહોંચ્યો. ગાયના કહ્યા મુજબ જ તેણે સાચે પરિસ્થિતીનો તાગ મેળવી લીધો અને કાળજી પૂર્વક ગાયને કાદવમાંથી બહાર કાઢી લીધી. બંને જ્યારે પાછા ઘર તરફ ડગ માંડી રહ્યાં ત્યારે પરસ્પર નવી કૃતજ્ઞતા અનુભવી રહ્યાં. તેમને વાઘની દયા આવી અને વાઘ મોઢું વકાસી તેમને જતાં જોઈ રહ્યો.
આ પ્રતિકાત્મક વાર્તામાં ગાય સમર્પિત હ્રદય છે, વાઘ અહંકારી મન અને માલિક ગુરૂ નું પ્રતિક છે. કાદવ આ દુનિયા છે અને વાઘનો ગાયનો પીછો તેમજ કાદવમાં બચવા માટે હવાતિયા દુનિયામાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાના સંઘર્ષને દર્શાવે છે.
સારાંશ :
-----------
સ્વતંત્ર હોવું, કોઈના પર આધાર ન રાખવો સારું છે. પણ એનો અર્થ એવો નથી કે જીવનમાં ગુરુ નું કોઈ સ્થાન કે મહત્વ નથી. તમને એવા સાથી, શિક્ષક કે માર્ગદર્શકની સદાયે જરૂર હોય છે જે સતત તમારું ધ્યાન રાખી શકે કે જ્યારે જરૂર હોય ત્યારે તમે ચોક્કસ તેમની પાસે જઈ શકો.
એ તમારા જીવનમાં હોય એનો અર્થ એવો નથી કે તમે નબળા છો, તેમની હાજરી કે મદદથી તમે વધુ સક્ષમ જરૂર બની રહો છો.
(ઇન્ટરનેટ પરથી)
Sunday, January 13, 2019
કઈ રીતે વધુ સુખી થવું
શું તમને ખબર છે કે વિશ્વની સૌથી ખ્યાતનામ વિદ્યાપીઠોમાંની એક એવી હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે સૌથી લોકપ્રિય અને સફળ અભ્યાસક્રમ તમને કઈ રીતે વધુ સુખી થવું એ શીખવે છે.
બેન શાહર દ્વારા ભણાવાતો પોઝીટીવ સાઇકોલોજીનો વિષય વૈકલ્પિક હોવા છતાં દરેક છ માસિક સત્રમાં તે વીસેક ટકા જેટલા ૧૪૦૦ વિદ્યાર્થીઓ દ્વારા પસંદ કરાય છે.
બેન શાહરના જણાવ્યા મુજબ તેના વર્ગમાં શીખવવામાં આવતા સુખ, આત્મવિશ્વાસ અને પ્રેરણા જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરતા મુદ્દાઓ વિદ્યાર્થીઓને જીવનમાં સફળ થતા અને જીવનને વધુ આનંદ પૂર્વક જીવતા શીખવે છે. ૪૫ વર્ષીય બેન શાહરને ઘણાં "હેપીનેસ ગુરૂ" કહે છે. તેમણે પોતાના એક વર્ગમાં પોતાની અંગત સ્થિતી સુધારવાના અને વધુ હકારાત્મક જીવન જીવવાના ૧૫ નુસખા વર્ણવ્યા છે જે આ મુજબ છે :
૧ તમારી પાસે જે કંઈ પણ છે તેના માટે ઈશ્વરનો આભાર માનો. તમારા જીવનની ૧૦ એવી વસ્તુઓની યાદી બનાવો જે તમને ખુશી બક્ષતી હોય. સારી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો.
૨ શારીરિક કસરત કરો. નિષ્ણાતો કહે છે કે કસરત કરવાથી 'મૂડ' સુધરે છે. માત્ર અડધા કલાકની કસરત ઉદાસીનતા અને તાણ સામેનો રામબાણ ઈલાજ છે.
3 કેટલાક લોકો અતિ વ્યસ્ત હોવાને લીધે કે જાડા ન થઈ જવા સારુ સવારનો નાસ્તો નથી કરતાં. અભ્યાસ દર્શાવે છે કે સવારનો નાસ્તો તમને ઉર્જા આપે છે, તમને તમારા કામો વિષે વિચારવામાં અને તેમને સફળતા પૂર્વક પાર પાડવામાં મદદ કરે છે.
૪ તમને જે જોઈએ છે તે માગી લો અને તમે જે વિચારો છો એ કહી દો. સકારાત્મતા તમારામાં આત્મવિશ્વાસનો વધારો કરે છે. પાછળ રહી જવાથી અને મનની વાત મનમાં જ રાખવાથી દુખ અને લાચારી જન્મે છે.
૫ તમારા પૈસા નવા અનુભવ લેવા પાછળ ખર્ચો. એક અભ્યાસનું તારણ એવું છે કે ૭૫ ટકા લોકો ત્યારે વધુ સુખી હોવાનો અનુભવ કરે છે જ્યારે તેઓ પૈસા પ્રવાસ કે નવું કંઈક શીખવા પાછળ ખર્ચે છે. માત્ર ૨૫ ટકા લોકો જ ચીજ વસ્તુઓ ની ખરીદી બાદ વધુ આનંદ અનુભવે છે.
૬ પડાકારોનો સામનો કરો. અભ્યાસ બતાવે છે કે જેટલી તમે કોઈક બાબતને પાછી ઠેલશો એટલી વધારે મુંઝવણ અને ચિંતા પેદા થશે. કામોની ટૂંકી અઠવાડિક યાદી તૈયાર કરો અને તે કામો પૂર્ણ કરતા જાવ.
૭ જ્યાં જ્યાં શકય હોય ત્યાં ત્યાં તમારી સુખદ સ્મૃતિઓ, સુવાક્યો અને તસવીરો લગાડો /મૂકો. તમારા ફ્રિજ, કમ્પ્યુટર, ડેસ્ક, રૂમ બધાંને તમારા જીવનની સુખદ સ્મૃતિઓથી ભરી દો.
૮ સદાયે બધાંને સસ્મિત મળો અને અન્યો સાથે સારા બની રહો. સ્મિત તમારો મૂડ સુધારી નાખે છે.
૯ આરામદાયી જૂતા પહેરો. જો તમારા પગે ડંખ પડતા હશે તો તમે મૂડી બની જશો એમ અમેરિકન ઓર્થોપેડિક એસોસિએશનના પ્રમુખ ડૉ. કેઇંથ વેપનર કહે છે.
૧૦ તમારી શારીરિક સ્થિતી અંગે સભાન રહો. ખભા સહેજ પાછળ રહે એમ ટટ્ટાર ચાલશો તો મૂડ સારો રહેશે.
૧૧ સંગીત સાંભળો. એ સાબિત થયેલું છે કે સંગીત સાંભળવાથી તમારામાં ગાવા અંગેની ઇચ્છા જાગૃત થાય છે જે તમારા જીવનને સુખી બનાવે છે.
૧૨ તમે જે ખાઓ છો તેની તમારા મૂડ ઉપર અસર થાય છે. એક પણ સમયનું ભોજન ચૂકશો નહીં. દર ત્રણ - ચાર કલાકે હળવું ખાતા રહો અને ગ્લુકોઝ નું પ્રમાણ જાળવી રાખો. સફેદ લોટની વસ્તુઓ અને સાકર વધુ પ્રમાણમાં લેવાનું ટાળો. બધું ખાઓ, વૈવિધ્યસભર ખાઓ, જે આરોગ્યપ્રદ હોય.
૧૩ તમારી જાતનું ધ્યાન રાખો અને આકર્ષક બનો. ૭૦ ટકા લોકો કહે છે કે તેઓ જ્યારે અનુભવે છે કે તેઓ સારા દેખાય છે ત્યારે તેઓ વધુ આનંદિત હોવાનો અનુભવ કરે છે.
૧૪ ઈશ્વરમાં અખૂટ શ્રદ્ધા રાખો. તેની મરજી વગર પાંદડું પણ હલતું નથી અને તે સાથે હોય તો કંઈ અશક્ય નથી.
૧૫ રમૂજી સ્વભાવ કેળવો. વસ્તુઓ ને હસી કાઢતા શીખો, ખાસ કરીને જ્યારે તમારી સાથે બધું ધાર્યા કરતાં ઉલટું બની રહ્યું હોય.
😘🙏🏻સુખ એક રિમોટ કંટ્રોલ જેવું છે,વારંવાર એ આપણાંથી ખોવાઈ જાય છે અને ઘણી વાર અજાણતા આપણે પોતે જ એની પર બેસી પછી એને બીજે બધે શોધતા હોઈએ છીએ...
(ઇન્ટરનેટ પરથી)
બેન શાહર દ્વારા ભણાવાતો પોઝીટીવ સાઇકોલોજીનો વિષય વૈકલ્પિક હોવા છતાં દરેક છ માસિક સત્રમાં તે વીસેક ટકા જેટલા ૧૪૦૦ વિદ્યાર્થીઓ દ્વારા પસંદ કરાય છે.
બેન શાહરના જણાવ્યા મુજબ તેના વર્ગમાં શીખવવામાં આવતા સુખ, આત્મવિશ્વાસ અને પ્રેરણા જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરતા મુદ્દાઓ વિદ્યાર્થીઓને જીવનમાં સફળ થતા અને જીવનને વધુ આનંદ પૂર્વક જીવતા શીખવે છે. ૪૫ વર્ષીય બેન શાહરને ઘણાં "હેપીનેસ ગુરૂ" કહે છે. તેમણે પોતાના એક વર્ગમાં પોતાની અંગત સ્થિતી સુધારવાના અને વધુ હકારાત્મક જીવન જીવવાના ૧૫ નુસખા વર્ણવ્યા છે જે આ મુજબ છે :
૧ તમારી પાસે જે કંઈ પણ છે તેના માટે ઈશ્વરનો આભાર માનો. તમારા જીવનની ૧૦ એવી વસ્તુઓની યાદી બનાવો જે તમને ખુશી બક્ષતી હોય. સારી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો.
૨ શારીરિક કસરત કરો. નિષ્ણાતો કહે છે કે કસરત કરવાથી 'મૂડ' સુધરે છે. માત્ર અડધા કલાકની કસરત ઉદાસીનતા અને તાણ સામેનો રામબાણ ઈલાજ છે.
3 કેટલાક લોકો અતિ વ્યસ્ત હોવાને લીધે કે જાડા ન થઈ જવા સારુ સવારનો નાસ્તો નથી કરતાં. અભ્યાસ દર્શાવે છે કે સવારનો નાસ્તો તમને ઉર્જા આપે છે, તમને તમારા કામો વિષે વિચારવામાં અને તેમને સફળતા પૂર્વક પાર પાડવામાં મદદ કરે છે.
૪ તમને જે જોઈએ છે તે માગી લો અને તમે જે વિચારો છો એ કહી દો. સકારાત્મતા તમારામાં આત્મવિશ્વાસનો વધારો કરે છે. પાછળ રહી જવાથી અને મનની વાત મનમાં જ રાખવાથી દુખ અને લાચારી જન્મે છે.
૫ તમારા પૈસા નવા અનુભવ લેવા પાછળ ખર્ચો. એક અભ્યાસનું તારણ એવું છે કે ૭૫ ટકા લોકો ત્યારે વધુ સુખી હોવાનો અનુભવ કરે છે જ્યારે તેઓ પૈસા પ્રવાસ કે નવું કંઈક શીખવા પાછળ ખર્ચે છે. માત્ર ૨૫ ટકા લોકો જ ચીજ વસ્તુઓ ની ખરીદી બાદ વધુ આનંદ અનુભવે છે.
૬ પડાકારોનો સામનો કરો. અભ્યાસ બતાવે છે કે જેટલી તમે કોઈક બાબતને પાછી ઠેલશો એટલી વધારે મુંઝવણ અને ચિંતા પેદા થશે. કામોની ટૂંકી અઠવાડિક યાદી તૈયાર કરો અને તે કામો પૂર્ણ કરતા જાવ.
૭ જ્યાં જ્યાં શકય હોય ત્યાં ત્યાં તમારી સુખદ સ્મૃતિઓ, સુવાક્યો અને તસવીરો લગાડો /મૂકો. તમારા ફ્રિજ, કમ્પ્યુટર, ડેસ્ક, રૂમ બધાંને તમારા જીવનની સુખદ સ્મૃતિઓથી ભરી દો.
૮ સદાયે બધાંને સસ્મિત મળો અને અન્યો સાથે સારા બની રહો. સ્મિત તમારો મૂડ સુધારી નાખે છે.
૯ આરામદાયી જૂતા પહેરો. જો તમારા પગે ડંખ પડતા હશે તો તમે મૂડી બની જશો એમ અમેરિકન ઓર્થોપેડિક એસોસિએશનના પ્રમુખ ડૉ. કેઇંથ વેપનર કહે છે.
૧૦ તમારી શારીરિક સ્થિતી અંગે સભાન રહો. ખભા સહેજ પાછળ રહે એમ ટટ્ટાર ચાલશો તો મૂડ સારો રહેશે.
૧૧ સંગીત સાંભળો. એ સાબિત થયેલું છે કે સંગીત સાંભળવાથી તમારામાં ગાવા અંગેની ઇચ્છા જાગૃત થાય છે જે તમારા જીવનને સુખી બનાવે છે.
૧૨ તમે જે ખાઓ છો તેની તમારા મૂડ ઉપર અસર થાય છે. એક પણ સમયનું ભોજન ચૂકશો નહીં. દર ત્રણ - ચાર કલાકે હળવું ખાતા રહો અને ગ્લુકોઝ નું પ્રમાણ જાળવી રાખો. સફેદ લોટની વસ્તુઓ અને સાકર વધુ પ્રમાણમાં લેવાનું ટાળો. બધું ખાઓ, વૈવિધ્યસભર ખાઓ, જે આરોગ્યપ્રદ હોય.
૧૩ તમારી જાતનું ધ્યાન રાખો અને આકર્ષક બનો. ૭૦ ટકા લોકો કહે છે કે તેઓ જ્યારે અનુભવે છે કે તેઓ સારા દેખાય છે ત્યારે તેઓ વધુ આનંદિત હોવાનો અનુભવ કરે છે.
૧૪ ઈશ્વરમાં અખૂટ શ્રદ્ધા રાખો. તેની મરજી વગર પાંદડું પણ હલતું નથી અને તે સાથે હોય તો કંઈ અશક્ય નથી.
૧૫ રમૂજી સ્વભાવ કેળવો. વસ્તુઓ ને હસી કાઢતા શીખો, ખાસ કરીને જ્યારે તમારી સાથે બધું ધાર્યા કરતાં ઉલટું બની રહ્યું હોય.
😘🙏🏻સુખ એક રિમોટ કંટ્રોલ જેવું છે,વારંવાર એ આપણાંથી ખોવાઈ જાય છે અને ઘણી વાર અજાણતા આપણે પોતે જ એની પર બેસી પછી એને બીજે બધે શોધતા હોઈએ છીએ...
(ઇન્ટરનેટ પરથી)
Saturday, January 5, 2019
સાચું સુખ ક્યાં છે?
૫૦ જણનો એક સમૂહ એક પ્રશિક્ષણ સમારંભમાં હાજરી આપી રહ્યો હતો. અચાનક મુખ્ય વક્તા પ્રશિક્ષકે દરેકને એક ફૂલેલો ફુગ્ગો હાથમાં આપ્યો અને તેના પર પોતપોતાનું નામ માર્કર પેન વડે લખવા કહ્યું. પછી એ બધાં ફુગ્ગા લઈ લેવાયા અને બાજુના એક ખંડમાં મૂકી દેવામાં આવ્યાં.
થોડી વાર બાદ દરેક વ્યક્તિને એ ખંડમાં લઈ જવામાં આવ્યા અને તેમને પોતપોતાનું નામ લખેલો ફુગ્ગો શોધી કાઢવાનું જણાવવામાં આવ્યું,માત્ર પાંચ મિનિટમાં. ધમાચકડી મચી ગઈ! બધાં એક બીજા સાથે ભટકાતા, એકમેકને ધક્કો મારતા પોતપોતાનો ફુગ્ગો શોધવા મથી રહ્યાં. પણ પાંચ મિનિટ પૂરી થઈ જવા છતાં કોઈ પોતાનો ફુગ્ગો શોધી શક્યું નહીં.
હવે દરેક જણને કોઈ પણ એક જે ફુગ્ગો પોતાના હાથમાં આવે તે લઈ લેવા આદેશ અપાયો અને ત્યારબાદ જેનું નામ એ ફુગ્ગા પર લખ્યું હોય તેને એ સોંપી દેવા જણાવાયું.
ત્રણેક મિનિટમાં જ દરેક વ્યક્તિના હાથમાં પોતપોતાનું નામ લખેલો ફુગ્ગો હતો!
વક્તા પ્રશિક્ષકે કહ્યું કે આવું જ આપણાં જીવનમાં બનતું હોય છે. દરેક જણ સુખ આસપાસ શોધવા ફાંફાં મારે છે કારણ તેને જાણ નથી કે સાચું સુખ ક્યાં છે. પણ વાસ્તવિકતા એ છે કે સાચું સુખ બીજાના સુખમાં છુપાયેલું હોય છે, એ બીજાને સુખ આપીને મેળવી શકાય છે.
અન્યને ખુશી આપીને તમે અપાર ખુશી મેળવી શકો છો. એ જ મનુષ્ય જીવનનો સાચો આશય છે.
(ઇન્ટરનેટ પરથી)
Wednesday, November 7, 2018
સાયક્લિંગ રેસ
વહેલી સવારે સાયક્લિંગ કરતી વખતે મારું ધ્યાન એક વ્યક્તિ પર ગયું જે મારા કરતા અડધો એક કિલોમીટર આગળ હશે. મને લાગ્યું કે તે મારા કરતા ધીમી સાઇકલ હાંકી રહ્યો છે અને હું સરળતાથી તેની આગળ નીકળી જઈશ. આ લાગણી અનુભવી મને સારું લાગ્યું. અને મેં મારી ઝડપ ક્રમશ : વધારવી ચાલુ રાખી. થોડી જ વારમાં હું તેનાથી માત્ર સો એક ડગલાં પાછળ હતો. હવે મેં વધુ જોશથી ઝડપ વધારી. હું તેના સુધી પહોંચી, તેનાથી આગળ નીકળી જવા કૃતનિશ્ચયી હતો. અંતે હું એમ કરવામાં સફળ રહ્યો. મને મનમાં થયું મેં તેને હરાવ્યો. અલબત્ત તેને તો ખબર પણ નહોતી કે મેં તેની સાથે સ્પર્ધા લગાવી છે.
તેનાથી આગળ નીકળી ગયા બાદ મને ભાન થયું કે તેની સાથે સ્પર્ધા કરવાના ઝનૂનને લીધે હું મારા ઘર તરફ લઈ જતી ગલી ચૂકી ગયો હતો.મારી આંતરિક શાંતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હું ચૂકી ગયો હતો, આસપાસની લીલોતરી નું સૌંદર્ય માણવાનું પણ હું ચૂકી ગયો હતો.આત્મ શોધ કરાવતું ધ્યાન ધરવાનું હું ચૂકી ગયો હતો. ઉલટું, બિનજરૂરી ઉતાવળને કારણે મારો પગ બે ત્રણ વાર પેડલ પરથી સરકી જવાને કારણે હું કદાચ ક્યાંક પડી ગયો હોત તો મારા અંગને ઈજા પહોંચાડી શક્યો હોત.
મને સમજાયું કે જીવનનું પણ આવું જ છે. જ્યારે આપણે આપણાં સહકર્મચારીઓ સાથે, પાડોશી કે મિત્રો કે કુટુંબીજનો સાથે તેમનાથી આગળ થઈ જવા સ્પર્ધા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, એ સાબિત કરવા કે આપણે તેમનાથી વધુ મહત્વના કે સફળ કે સુખી છીએ ત્યારે આ સોદામાં આપણે અંગત સુખ-ચેન ખોઈ બેસતા હોઈએ છીએ.
આપણે એમ કરવા જતા એટલો બધો સમય અને શક્તિ વેડફી નાખીએ છીએ કે પોતાની મંઝિલ એમાં ક્યાંક વિસરી જઈએ છીએ. બિનતંદુરસ્ત સ્પર્ધાનો ગેર ફાયદો એ છે કે તેનો ક્યારેય અંત આવતો નથી. કોઈક ને કોઈક સદાયે તમારી આગળ હશે, કોઈકની નોકરી તમારા કરતા વધુ સારી હશે તો કોઈક ની ગાડી તમારી ગાડી કરતા વધુ મોટી
ને મોંઘી હશે, કોઈકનું બેંક બેલેન્સ તમારા કરતા વધુ હશે તો કોઈક નું શિક્ષણ તમારા કરતાં વધુ, કોઈકની પત્ની તમારી પત્નીથી વધુ સુંદર હશે તો કોઈકના બાળકો તમારા બાળકો કરતાં વધુ આજ્ઞાકારી તો વળી કોઈકની પરિસ્થિતી અને સંજોગો તમારાં કરતા વધુ ઉજળા હશે.
પણ એક અતિ મહત્વની વાત એ છે કે તમે જ્યારે કોઈ સાથે સ્પર્ધા ન કરતાં હોવ ત્યારે તમે શ્રેષ્ઠતમ બની શકો છો. કેટલાક લોકો અસુરક્ષિતતા અનુભવતા હોય છે કારણ તેઓ સતત પોતાની સરખામણી બીજાઓ સાથે કર્યા કરતા હોય છે, તેઓ સતત ધ્યાન
એ રાખવામાં રત હોય છે કે અન્યો ક્યાં જાય છે, અન્યો શું પહેરે છે, શું વાત કરે છે, કઈ ગાડી ચલાવે છે વગેરે. તમને ઈશ્વરે જે ઉંચાઈ, વજન અને વ્યક્તિત્વ આપ્યા હોય તેનો સ્વીકાર કરો. અનુભવો કે તમારા પર ઈશ્વરની કૃપા અવતરી છે.
સજાગ રહો, સચેત રહો અને તંદુરસ્ત જીવન જીવો.
કિસ્મતમાં કોઈ કોઈની સ્પર્ધા કરી શકતુ નથી. દરેકની કિસ્મત તેની પોતાની જ હોય છે.
સરખામણી અને સ્પર્ધા આનંદ હરી લેનારા છે, તે તમને સુખેથી જીવવા દેતા નથી.
તમારી પોતાની દોડ માણી શાંતિપૂર્ણ, આનંદી અને લાંબુ જીવન જીવો.
🚴♂🚴♂🚴♂
(ઇન્ટરનેટ પરથી)
Monday, October 6, 2014
તમારી નબળાઈને જ તમારી તાકાત બનાવો
ભયંકર
અકસ્માતમાં પોતાનો ડાબો હાથ
ગુમાવી બેસેલા એક દસ
વર્ષના બહાદુર બાળકે એક
હાથ ન હોવા છતાં
જુડો શિખવાનું નક્કી કર્યું. બાળકે
એક વયસ્ક જાપાનીસ જુડો
માસ્ટરને પોતાના ગુરૂ બનાવ્યા.બાળક શારીરિક મર્યાદા
છતાં સારી રીતે જુડો
શિખી રહ્યો હતો.પણ
ત્રણ મહિના બાદ ગુરૂએ
તેને હજી એક જ
દાવ શિખવાડ્યો હતો એ પાછળનું
કારણ તેને સમજાતું નહોતું.
છેવટે તેનાથી ન રહેવાતા
તેણે ગુરૂને પૂછી જ
નાંખ્યું 'સેન્સેઈ, શું મારે હજી
વધુ નવા દાવ શિખવા
ન જોઇએ?' સેન્સેઈએ કહ્યું,'તુ ભલે આ
એક જ દાવ જાણતો
હોય પણ આ એક
જ દાવ તારે શિખવાની
જરૂર છે.' બાળકને ગુરૂનો
આ જવાબ સમજાયો નહિ
પણ તેમનામાં પૂર્ણ શ્રદ્ધા હોવાથી
તેણે એ એક જ
દાવ પર ધ્યાન કેન્દ્રીત
કરી જુડો શિખવાનું ચાલુ
રાખ્યું.
થોડા
મહિનાઓ બાદ સેન્સેઈ પોતાના
આ નાનકડા શિષ્યને તેની
પહેલી ટૂર્નામેન્ટમાં લઈ ગયા.બાળક
પોતે આશ્ચર્ય ચકિત થઈ ગયો
પોતાની પ્રથમ બંને મેચો
સહેલાઈથી જીતી જઈને, પણ
ત્રીજી મેચ થોડી કપરી
હતી. રસાકસી ભરી મેચમાં
થોડા સમય બાદ હરીફે
ધીરજ ગુમાવી દીધી અને
તે સીધો બાળક પર
જાણે ધસી જ ગયો.પરંતુ પોતાને આવડતા
એક માત્ર દાવ ના
આધારે આખરે બાળક એ
ત્રીજી મેચ પણ જીતી
ગયો અને ફાઈનલમાં પહોંચી
ગયો. તેને પોતાની સફળતા
અને કુશળતા પર હજી
વિશ્વાસ બેસતો નહોતો.
આ
વખતે હરીફ મોટો,વધુ
શક્તિશાળી અને અનુભવી હતો
અને બાળક તેનો સામનો
કઈ રીતે કરશે એ
પ્રશ્ન સૌના મનમાં ડોકાતો
હતો. એક સમયે તો
રેફરીએ પણ ક્યાંક બાળક
વધુ જખમી ન થઈ
જાય એ ડરથી ટાઈમ-આઉટ જાહેર કરી
દીધું અને તે મેચ
પૂરી થયાની ઘોષણા કરવાની
તૈયારીમાં જ હતો ત્યાં
સેન્સેઈએ તેમ ન કરવાની
સૂચના આપતા મેચ ચાલુ
રાખવા જણાવ્યું.
જ્યારે
મેચ ફરી શરૂ થઈ
હરીફે એક મોટી ભૂલ
કરી. તેણે પોતાના ગાર્ડ
ઉતારી નાંખ્યા. તરત બાળકે પોતાને
આવડતા એક માત્ર દાવથી
તેને ભીંસમાં મૂકી દીધો. બાળક
ફાઈનલમાં પણ જીત મેળવી
આખી ટૂર્નામેન્ટનો વિજેતા બનવા પામ્યો.
એ ખરેખરો 'ચેમ્પિયન' સાબિત થયો.
પાછા
ફરતી વેળાએ બાળક અને
સેન્સેઇ એ દરેક મેચના
બધા જ દાવોની સમીક્ષા
કરી. બાળકે છેવટે પોતાના
મનમાં ઘણા સમયથી ઘૂમરાઈ
રહેલી વાત પૂછી જ
નાંખી,'સેન્સેઇ, માત્ર એક જ
દાવ ના આધારે હું
આ આખી ટૂર્નામેન્ટ જીતી
ગયો એ વાતનું રહસ્ય
શું છે?'
સેન્સેઇ
એ જવાબ આપ્યો,'તુ
બે કારણોસર જીતી ગયો.એક
એ કે આખા જુડોનો
સૌથી અઘરામાં અઘરો દાવ તે
માત્ર શિખ્યો જ નહિ
પણ તેમાં તે સર્વશ્રેષ્ઠ
કુશળતા હાંસલ કરી. અને
બીજું આ દાવ નો
સામનો કરવાની એક માત્ર
તરકીબ કોઈ પણ હરીફ
અજમાવી શકે તારો ડાબો
હાથ ઝાલીને.'
આમ
ડાબો હાથ ન હોવાની
નબળાઈ જ બાળકની સૌથી
મોટી તાકાત બની રહી.
('ઈન્ટરનેટ
પરથી')
Saturday, August 2, 2014
જિંદગીને બહેતર બનાવવાનાં 25 પગથિયાં – (ભાગ - ૧)
શ્રીરવિશંકરજી
પચ્ચીસ એવાં પગલાં બતાવે
છે, જેનો અમલ કરવાથી
આપણી જિંદગી જરૂર બહેતર
બની શકે. દરેક વ્યક્તિ
પોતાની જિંદગી કઈ રીતે
બહેતર બનાવી શકે એ
અંગે આંતરખોજ કરવી
જરૂરી છે. સૌથી પહેલાં
તમે તંદુરસ્ત છો કે નહીં
તે જાણી લો. તંદુરસ્તી
એટલે રોગમુક્ત શરીર, કંપનમુક્ત શ્વાસ,
પ્રાણમુક્ત મન, ભયમુક્ત બુદ્ધિ,
વળગણવિહોણી સ્મૃતિ, સર્વનો સમાવેશ કરતો
અહમ અને ગ્લાનિમુક્ત આત્મા.
વળી, જિંદગીનો હેતુ શું છે
? તેઓ કહે છે તમે
અહીં ઉદાસ રહેવા નથી
આવ્યા. કોઈનો દોષ કાઢવા
નથી આવ્યા. તમે અહીં
બિચારા બની રહેવા નથી
આવ્યા. તમે અહીં ચિંતા
કરવા નથી આવ્યા. તમે
અહીં દેખાડો કરવા નથી
આવ્યા. તમે ચિડાવા કે
કોઈને ચિડવવા નથી આવ્યા.
આ જિંદગી એક સુંદર
રહસ્ય છે અને તમારે
નિર્દોષતાથી એને જીવવાની છે.
જીવનના રહસ્યને આવી પૂર્ણતાથી જીવી
જાણવું એ જ આનંદ
છે. હવે પેલાં પચીસ
પગલાં :
[1] જીવનનો
સંદર્ભ સમજો : લાખો વર્ષની
આ સૃષ્ટિમાં આપણી સાઠ, સિત્તેર,
સો વર્ષની જિંદગી કેટલી
નગણ્ય છે ! એટલે જ
આ નિર્ણય કરો. જે
કંઈ પણ થાય, ઈશ્વરનું
રક્ષણ મારા પર છે
જ. દરેક પરિસ્થિતિમાં તમારા
મનને શાંતિપૂર્ણ રાખો. બાકીનું બધું
બરાબર થઈ રહેશે.
[2] જિંદગીની
ક્ષણભંગુરતાને ઓળખો : જિંદગીની ક્ષણભંગુરતાને
જુઓ. તે સત્ય છે.
બધું વીતી જાય છે,
આવતીકાલ પણ વીતી જશે.
આપણી જિંદગીની આ પ્રકૃતિને ઓળખો
તો જણાશે કે તમારી
ભીતર કશુંક છે જે
નથી બદલાયું. એક એવું બિંદુ
છે જેના સંદર્ભે તમે
અન્ય બાબતોને બદલાતી જોઈ શકો
છો. એ સંદર્ભ બિંદુ
જ જીવનનો સ્ત્રોત છે.
શાણપણ છે. એનાથી જિંદગીની
ગુણવત્તા સુધરે છે.
[3] તમારા
સ્મિતને સસ્તું બનાવો : તમારે
વધુ સ્મિત કરવું જોઈએ.
દરરોજ સવારે ઊઠીને અરીસામાં
જોઈ પોતાની જાતને એક
સરસ મજાનું સ્મિત આપો.
એમ કરવાથી તમારા
ચહેરાના
તમામ સ્નાયુઓ રિલેક્સ થઈ જશે. મગજના
જ્ઞાનતંતુ પણ હળવાશ અનુભવશે.
પરંતુ આટલું કિંમતી સ્મિત
તમે કેટલી સહેલાઈથી ગુમાવી
દો છો. કોઈક તમને
મૂર્ખાઈભર્યું કહે એટલે સ્મિત
વિલાઈ જાય છે. એ
કહેનારના મગજમાં કચરો ભર્યો
હોય તો એને તો
એ નાખવા માટે કચરાપેટીની
જરૂર હોય જ. પણ
તમે શા માટે કચરાપેટી
બનો છો ? જરાક સમજો.
જાગો. તમારા સ્મિતને કોઈના
પણ સારા-માઠા શબ્દોનો
ભોગ ન બનવા દ્યો.
તમારા સ્મિતને સસ્તું અને ગુસ્સાને
મોંઘો બનાવો. જેથી તમે
સ્મિત વધુ અને ગુસ્સો
ભાગ્યે જ કરશો. [4] ઉત્સાહી
બનો અને અન્યની પ્રશંસા
કરો : ઉત્સાહ તો જિંદગીની
પ્રકૃતિ છે પરંતુ આપણામાંના
ઘણાને કોઈના ઉત્સાહ પર
ઠંડું પાણી રેડવાની આદત
હોય છે. કોઈની પ્રશંસા
કરીને ઉત્સાહ વધારવાની દરેક
તક ઝડપી લો. ફરિયાદ
કરનારને દિવ્ય પ્રેમ પ્રાપ્ત
નથી થતો. તમે એવી
વ્યક્તિ બનો જેનો ઉત્સાહ
કદી ખૂટે જ નહીં.
[5] ધ્યાનને
જિંદગીનો હિસ્સો બનાવો : જીવનમાં
ઊંચા લક્ષ્યો પામવા રોજ થોડી
મિનિટો ધ્યાન અને આંતરખોજ
જરૂરી છે. સવાલ થશે
કે ધ્યાન શું છે
? હું કહીશ કે ધ્યાન
એટલે વ્યગ્રતાવિહોણું મન. હકીકતમાં ધ્યાન
એટલે વર્તમાનની ક્ષણનો સ્વીકાર કરી
પ્રત્યેક ક્ષણને ઊંડાણપૂર્વક પૂરેપૂરી
જીવવી. બસ, આટલી સમજ
સાથે રોજ ધ્યાનની પ્રેક્ટિસ
કરો. પછી જુઓ, જિંદગીની
ગુણવત્તા કેવી બદલાય છે.
[6] સૌથી
સુંદર જગ્યાએ જાઓ : આ
સુંદર જગ્યા બીજે ક્યાંય
નહીં, તમારી ભીતર જ
છે ! એક વાર તમે
આ જગ્યાએ આવી જાઓ
પછી બધાં સ્થળો તમારા
માટે સુંદર જ છે.
આ જગ્યાએ પહોંચવા તમારે
તમારા શ્વાસ માટે કંઈક
જાણવું અનિવાર્ય છે. આપણા શ્વાસ
પાસેથી આપણે ખૂબ અગત્યનો
પાઠ શીખવાનો છે. મનના પ્રત્યેક
લયને અનુરૂપ એક લય
શ્વાસનો હોય છે. અને
શ્વાસના પ્રત્યેક લયને અનુરૂપ તેમાં
લાગણીનો એક લય હોય
છે. એટલે જ્યારે તમે
મનને સીધી રીતે હેન્ડલ
ન કરી શકો ત્યારે
શ્વાસ થકી તેને હેન્ડલ
કરી શકાશે. એટલે જ
શ્વાસની કળા શીખો. જોઈએ
તો દર વરસે થોડાક
દિવસ તમારી જાતને પ્રકૃતિ
સાથે જોડી દો. સૂર્યોદય
સાથે ઊઠો, થોડી કસરત
કરો, યોગ્ય ખોરાક લો.
યોગ અને શ્વાસોશ્વાસની કસરત
કરો. ગીતો ગાઓ અને
સર્જનનું સૌંદર્ય પીતા પીતા મૌનને
માણો.
[7] અસરકારક
સંવાદ રચો : દરેક સાથે
અસરકારક સંવાદ કરવાની કળા
શીખો. તે માટે શું
કરશો ? તમારાથી વધુ જાણકાર વ્યક્તિને
મળો ત્યારે બાળક જેવા
થઈ શીખવા માટે તમારા
આંખ કાન ખુલ્લા રાખો.
તમારાથી ઓછું જાણનાર વ્યક્તિ
સાથે નમ્ર બનો અને
એને પણ તમારા જેટલું
કે તમારાથી વધુ જાણકાર બનાવવા
પ્રયાસ કરો. યાદ રહે,
હંમેશાં કંઈક ને કંઈક
વહેંચવાનું, શીખવાનું અને શીખવવાનું હોય
જ છે. આમ તમારી
વાતચીત સુધરે છે ત્યારે
તમારી જિંદગી પણ સુધરે
છે.
[8] તમારે
માટે સમય કાઢો : દિવસમાં
કમ સે કમ થોડી
મિનિટો, તમારી જાત સાથે
ગાળો. હૃદયના ઊંડાણ સુધી
જાઓ. આંખ બંધ રાખો
અને દુનિયાને દૂર ફગાવી દો.
(અલબત્ત, કામ કરતા હો
ત્યારે પણ આવી રીતે
સો ટકા કામમાં રહો.)
આમ બધું ત્યજીને બેસશો
ત્યારે જ તમારી સર્જકતા
કોળશે.
[9] તમારી
આસપાસની દુનિયાને બહેતર બનાવો : નદી
જ્યારે સામાન્ય હોય છે ત્યારે
નિયંત્રિત સ્વરૂપે વહે છે, પણ
પૂર વખતે જળની કોઈ
દિશા નથી હોતી. એ
જ રીતે જિંદગીને દિશા
આપવાની જરૂર છે. જીવન-ઊર્જાને નિયત દિશામાં વહેવા
માટે નિષ્ઠાની જરૂર પડે છે.
સમાજ પ્રત્યે આવી નિષ્ઠા કેળવો
તો સમાજનો તમને સાથ
મળશે. સમાજ જ નહીં,
સમગ્ર દુનિયાને બહેતર સ્થાન બનાવવાની
નિષ્ઠા કેળવો.
[10] તમારી
સંવેદનાને પોષો : સંવેદના કે
લાગણીવિહોણો માણસ સૂકા લાકડા
જેવો છે. તમારા જીવનને
એવું રસભર બનાવો કે,
લોકો તમારી કંપની ઝંખે.
સંગીત, પ્રાર્થના અને સેવાથી તમે
તમારી જાતને એવી વ્યક્તિ
બનાવી શકો. આ દુનિયા
પાસેથી શું મેળવી શકું
એમ વિચારવાને બદલે આ દુનિયાને
શું આપી શકું તેમ
વિચારો. તમે દિલથી ગાશો
કે પ્રાર્થના કરશો ત્યારે તમારી
લાગણીઓ પુષ્ટ બનશે.
(ક્રમશ:)
('ઈન્ટરનેટ પરથી')
Subscribe to:
Posts (Atom)