Showing posts with label positivity. Show all posts
Showing posts with label positivity. Show all posts

Wednesday, February 26, 2020

પરીક્ષા ટાણે તમારા અને તમારા સંતાનો માટે

  બોર્ડ પરીક્ષાઓનો સમય આવી ગયો છે. તમારું સંતાન દસમા કે બારમાના બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યું હશે તો તો તમેય ટેન્શનમાં હશો ખરું ને? આગામી પંદર - વીસ  દિવસો તમારા બંને માટે અતિ મહત્વના બની રહેશે. તમારા સંતાનો પાસેથી તમે આ સમયગાળા દરમ્યાન મૂડ પરિવર્તન, ઉદાસી, ઉત્સાહ, આરામદાયી વલણ, ઉદ્ધતાઈ વગેરે અનેક મિશ્ર લાગણીઓની અપેક્ષા રાખી શકો છો. પણ તમારે સંભાળી લેવાનું છે. આપણી શિક્ષણ પદ્ધતિ આમ પણ વિદ્યાર્થીઓમાં ઘણો તણાવ પેદા કરે છે, ખાસ કરીને બોર્ડ પરીક્ષા વખતે.
      તો ચાલો આપણાં બાળકોને સહારો આપીએ, તેમની સાથે ઉભા રહીએ. તેમનો તણાવ ઓછો કરીએ. આ કઈ રીતે કરી શકીશું? વાંચો...

૧. તેમને સવારે એક હકારાત્મક ઉમળકા સાથે પ્રેમભર્યા સ્પર્શથી ઉઠાડો, તેમને આલિંગન આપો. દરેક બાળક માતાપિતા પાસેથી આની અપેક્ષા રાખે છે.

૨. તમારા સંતાનના દિવસની શરૂઆત એક હકારાત્મક વિધાન સાથે કરો જેવા કે - હું તને ખૂબ ચાહું છું, ચાલો એક સુંદર મજાના દિવસની શરૂઆત સાથે કરીએ...

૩. તમારા સંતાન સાથે વાતચીત કરતી વખતે ખૂબ કાળજી રાખો. એ પરીક્ષા આપવા જાય એ પહેલા ખાસ. "મને ખાતરી છે કે તું ચોક્કસ ખૂબ સારું પેપર લખીશ... તારું પ્રદર્શન શ્રેષ્ઠ રહેશે... બેસ્ટ ઓફ લક! જલ્દી થી સરસ પેપર લખીને આવીજા, હું તારી રાહ જોઈશ..." વગેરે.

૪. તમારો ઉચાટ તમારા સંતાન સુધી ન પહોંચવા દો. ગમે તેવી પરિસ્થિતિ હોય, છેલ્લી ક્ષણોમાં તમારા તરફથી હકારાત્મક સહકાર, તમારા સંતાનના આત્મવિશ્વાસમાં અનેકગણો વધારો કરે છે.

૫. જ્યારે તમારું સંતાન પરીક્ષા આપી પાછું આવે ત્યારે માત્ર 'પેપર કેવું ગયું' જ ના પૂછો, તેના બદલે પૂછો કે તેનો પરીક્ષાનો અનુભવ કેવો રહ્યો. તેને કહો, ચાલ, હવે થોડું બહાર ખુલ્લામાં ફરી આવીએ. સાથે ચા કે કોફી પી ને રિલેક્સ થઈ આવીએ... જે વિષયની પરીક્ષા પતી ગઈ, તેના વિશે ચર્ચા કર્યા કરવાનું ટાળો. જે ગયું તે ગયું. એ તમે બદલી શકવાના નથી પણ હજી જે આવવાનું બાકી છે એના માટે તમે તમારા સંતાનને આધાર આપી શકો છો.

૬. એ સુનિશ્ચિત કરો કે તેની પરીક્ષા દરમ્યાન તમારા સંતાનને તમે ઘરમાં એક આનંદીત અને તંદુરસ્ત વાતાવરણ પૂરું પાડો છો. પરિવારમાં બિનજરૂરી વિખવાદ-ચર્ચા ટાળો, મતભેદો પછી પણ ઉકેલી શકાય છે. એ ના ભૂલો કે આ બધી નકારાત્મકતા તમારા સંતાનના તણાવમાં વધારો કરી શકે છે.

૭. જ્યારે તમારું સંતાન નાસ્તો કરી રહ્યું હોય, જમી રહ્યું હોય કે પછી તમારી સાથે નિરાંતની ક્ષણો માણી રહ્યું હોય ત્યારે હળવું વાદ્ય સંગીત વગાડો.

૮. તમારા સંતાનને માર્કસ ના લક્ષ્યો ના આપો. એ પોતાના લક્ષ્યાંકો સમજી શકે એટલું સંવેદનશીલ હોય જ છે.

૯. ઘરમાં તાજા ફૂલો રાખો, એ ઘણી હકારાત્મક ઉર્જા આણે છે.

૧૦. કોઈ પણ કારણસર વાતો ને લાંબી ના ખેંચો. સતત ટોક્યા કરવાનું અને દોષો શોધ્યા કરવાનું બંધ કરો.

૧૧. રાત્રે તમારા સંતાનની પીઠ પર હકારાત્મકતા ભર્યા સ્પર્શ સાથે હાથ ફેરવતા તેને સૂવાડો. આ બે મિનિટની ચેષ્ટા તેની પૂરતા કલાકોની નિદ્રા ગાઢ અને અસરકારક બનાવશે અને તે બીજે દિવસે વધુ સારો અભ્યાસ કરી શકશે.

૧૨. સતત સલાહસૂચન ટાળો. સંતાનને તેની થોડી અંગત જગા આપો.

૧૩. પરીક્ષાનું પેપર તમારી કે તમારા સંતાનની અપેક્ષા મુજબ ન જાય તો પણ તમારા સંતાનની પડખે ઉભા રહો.

૧૪. સૌથી અગત્યનું : પરીક્ષાના દિવસો દરમ્યાન તમારા સંતાનને તમારા સગા - સંબંધીઓ કે મિત્રોને ન મળવા દો. છેલ્લી ક્ષણોમાં નકારાત્મક વિધાનો કે અપેક્ષાઓ તમારા સંતાન માટે જોખમી સાબિત થઈ શકે છે.

તમારા સંતાનોને ઘણો બધો પ્રેમ અને ઘણાં બધાં શુભાશિષ... અને હા, તમે શાંત અને ધૈર્યવાન બનજો, તમને પણ ઓલ ધ બેસ્ટ!!!

- એક ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ દ્વારા.

(ઇન્ટરનેટ પરથી)

Monday, April 29, 2019

ભગવાન છે ને!

એક માણસનો દિવસ બહુ ખરાબ ગયો. તેણે રાત્રે ઈશ્વર જોડે ફરિયાદ માંડી.

માણસે કહ્યું, ‘ભગવાન, ગુસ્સે ન થાઓ તો એક પ્રશ્ન પૂછું?’

ભગવાને કહ્યું, ‘પૂછ, જે પૂછવું હોય એ પૂછ.’

માણસે કહ્યું, ‘ભગવાન, તેં આજે મારો આખો દિવસ એકદમ ખરાબ શું કામ કર્યો?’

ભગવાન હસ્યા. પૂછ્યું, ‘પણ શું થયું?’

માણસે કહ્યું, ‘સવારે અલાર્મ વાગ્યું નહીં, મને ઊઠવામાં મોડું થયું...’

ભગવાને કહ્યું, ‘અચ્છા પછી...’

માણસે કહ્યું, ‘પછી મોડું થતું હતું એમાં સ્કૂટર બગડી ગયું. માંડ-માંડ રિક્ષા મળી.’

ભગવાને કહ્યું, ‘અચ્છા પછી...’

માણસે કહ્યું, ‘ટિફિન લઈ ગયો નહોતો, કૅન્ટીન બંધ હતી... એક સૅન્ડવિચ પર દિવસ કાઢ્યો. એ પણ ખરાબ હતી.’

ભગવાન માત્ર હસ્યા.

માણસે ફરિયાદ આગળ ચલાવી, ‘મને કામનો એક મહત્વનો ફોન આવ્યો હતો અને ફોન બંધ થઈ ગયો.’

ભગવાને પૂછ્યું, ‘અચ્છા પછી...’

માણસે કહ્યું, ‘વિચાર કર્યો કે જલદી ઘરે જઈ એ. સી. ચલાવીને સૂઈ જાઉં, પણ ઘરે પહોંચ્યો તો લાઇટ ગઈ હતી. ભગવાન, બધી તકલીફ મને જ. આવું કેમ કર્યું તેં મારી સાથે?’

ભગવાને કહ્યું, ‘જો, મારી વાત શાંતિથી સાંભળ. આજે તારી ઘાત હતી. મારા દેવદૂતને મોકલીને મેં એ અટકાવી. અલાર્મ વાગે જ નહીં એમ કર્યું. સ્કૂટરમાં ઍક્સિડન્ટ થવાનો ભય હતો એટલે સ્કૂટર મેં બગાડ્યું. કૅન્ટીનના ખાવાથી ફૂડ-પૉઇઝન થઈ જાત. ફોન પર મોટા કામની વાત કરનાર પેલો માણસ તને મોટા ગોટાળામાં ફસાવી દેત. એટલે ફોન બંધ થયો. તારા ઘરે સાંજે શૉર્ટ સર્કિટથી આગ લાગત અને તું એ. સી. માં સૂતો હોત એટલે તને ખબર જ ન પડત. એટલે મેં લાઇટ જ બંધ કરી ! હું છું ને! તને બચાવવા જ મેં આ બધું કર્યું.’

માણસે કહ્યું, ‘ભગવાન, મારી ભૂલ થઈ. મને માફ કરો. આજ પછી ફરિયાદ નહીં કરું.’

ભગવાન બોલ્યા, ‘માફી માગવાની જરૂર નથી, પરંતુ વિશ્વાસ રાખ કે હું છું. હું જે કરીશ, જે યોજના બનાવીશ એ તારા સારા માટે જ હશે. જીવનમાં જે કંઈ સારું-ખરાબ થાય એની સાચી અસર લાંબા ગાળે સમજાશે. મારા કોઈ કાર્ય પર શંકા ન કર, શ્રદ્ધા રાખ. જીવનનો ભાર તારા માથે લઈને ફરવાને બદલે મારા ખભે મૂકી દે. હું છું ને! '

(ઇન્ટરનેટ પરથી)

Sunday, November 12, 2017

મનનું રહસ્ય

       ભૌતિક શાસ્ત્ર નો એક નિયમ છે એ મુજબ બ્રહ્માંડ માં રહેલ કુલ ઉર્જા નો જથ્થો અચલ છે. ઉર્જા ન તો સર્જી શકાય છે, ન તેનો વિનાશ કરી શકાય છે. વિજ્ઞાન માં હજી આવાં બીજાં ઘણાં નિયમો છે જે વિજ્ઞાન સાથે તર્કશાસ્ત્ર ને પણ લાગુ પડે છે. 
      દરેક મનુષ્ય પણ ચોક્કસ પ્રમાણમાં ઉર્જા ધરાવતું નાનકડું બ્રહ્માંડ છે. એક અતિ સરળ પણ સાત્વિક નિયમ તેને લાગુ પડે છે. જેટલા પ્રમાણમાં હકારાત્મક કે નકારાત્મક ઉર્જા આપણે ઉત્સર્જીત કરીએ છીએ તેટલી જ ઉર્જા આપણા સમગ્ર જીવન દરમ્યાન આપણી પાસે પાછી ફરે છે.
    જો હું કોઈક ને મદદ કરું અને તે આ ચેષ્ટા નો બદલો ન વાળી આપે તો ભવિષ્યમાં જ્યારે કોઈક વખત મને ખરી જરુર હશે ત્યારે મને એ
સારા કામ નો બદલો મળી રહેશે. કોઈક તરફ મેં વહેતી કરેલી હકારાત્મક ઉર્જા ચોક્કસ મારી પાસે પાછી ફરશે, એ વ્યક્તિ તરફથી નહિ તો બીજી કોઈક વ્યક્તિ તરફથી. તો પછી આપણે કોઈક ને કરેલી મદદ નું વળતર યોગ્ય રીતે તરત ને તરત ન મળ્યાનો વસવસો વ્યર્થ નથી?
      ગીતા માં પણ અપાયેલ કર્મ નાં આ સરળ સિદ્ધાંત ના સારમાં જો આપણે સૌ શ્રદ્ધા રાખતા શીખી જઈશું તો જીવન ઘણું સુગમ અને સુખી બની રહેશે. તમારું કર્મ ફળ ની આશા રાખ્યા વગર કરતા રહો, ફળ કુદરત આપી રહેશે. 
      જ્યારે આપણે કોઈક ખરાબ કામ કરતા હોઈએ છીએ ત્યારે આ નક્કર હકીકત આપણે ભૂલી જતા હોઈએ છીએ. પણ આપણે ફેલાવેલી કે સર્જેલી નકારાત્મક ઉર્જા ફરી આપણી પાસે આવ્યા વગર રહેતી નથી, તરત નહિ તો પછી થી.
      આ સમજ જો આપણે અમલમાં મૂકીએ તો તરત આપણને કાવાદાવા કરી રહેલો સહકર્મચારી, ષડયંત્ર રચી રહેલો પરિવારજન, માથા ભારે પાડોશી - એ બધું વામણું લાગવા માંડશે. કારણ તેમના નકારાત્મક વિચારો તમારા પર અસર કરી શક્શે નહીં, જ્યાં સુધી નકારાત્મક ઉર્જા તમારાં શરીર દ્વારા ઉત્સર્જીત થશે નહીં.
     મન નું આ રહસ્ય જેને સમજાઈ જાય તે મહા શક્તિશાળી બની શકે છે અને તેની આત્મા માંથી પરમાત્મા બનવાની સફર શરૂ થઈ જાય છે.

(ઇન્ટરનેટ પર થી) 

Saturday, October 28, 2017

સકારાત્મક દ્રષ્ટીકોણ

ગુરુને શિષ્યે કહ્યું,”ગુરુદેવએક વ્યક્તિએ આશ્રમ માટે એક ગાય ભેટમાં આપી છે.”
ગુરુ  કહ્યું,”સારું થયુંદૂધ પીવા મળશે.”
એક અઠવાડિયા પછી શિષ્યે ફરી ગુરુ પાસે આવી કહ્યું,”ગુરુદેવજે વ્યક્તિ  ગાય ભેટમાં આપી હતી,  ગાય પાછી લઈ ગયો.”
ગુરુએ કહ્યું,”સારું થયુંછાણ ઉપાડવા ની ઝંઝટ માંથી મુક્તિ મળી!“
પરિસ્થિતિ બદલાય તો  પ્રમાણે તમારી મનઃસ્થિતિ બદલો.
પછી જુઓ કેમ તમારા સઘળાં દુ: સુખમાં પરિવર્તિત થઈ જાય છે.
આખરે સુખ-દુ: મનનાં  સમીકરણ તો છે!  
એક અંધ વ્યક્તિને મંદીર આવેલો જોઇ લોકોએ હસતાં હસતાં તેને પૂછ્યું ,"તું મંદીર તો આવ્યો છે પણ ભગવાનને જોઇ શકીશ ખરો?"
તે અંધ વ્યક્તિએ વાબ આપ્યો,"હું જોઈ શકું કે  જોઇ શકું એથી શો ફેર પડે છે?મારો ભગવાનતો મને જોઇ  શકે છે!"
દ્રષ્ટી નહિ,દ્રષ્ટીકોણ સકારાત્મક જોઇએ.
સદાયે હસતા રહો,હસાવતા રહો.


(ઈન્ટરનેટ પરથી)

Sunday, February 7, 2016

તમારા ઘરમાં તમારા ઘરમાં હકારાત્મક ઉર્જા કઈ રીતે વધારશો?

)            બધીજ બારીઓ ખોલી ઘરમાં તાજી હવા અને સૂર્યપ્રકાશને પ્રવેશવા દો. છૂટથી ફરતી હવા અને સૂર્યપ્રકાશ નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે.

)            ઘરમાં પડેલી બધી બિનજરૂરી જૂની ચીજવસ્તુઓનો તરત નિકાલ કરીદો. ભંગાર નકારાત્મક ઉર્જાને આકર્ષે છે, નકારાત્મક ઉર્જા માટે ચુંબક સમાન છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા નો ભરાવો કરે છે.

)           ઘરમાં ઉઘાડા પગે ચાલવાથી બધી નકારાત્મક ઉર્જા જમીનમાં ઉતરી જાય છે.વિજળીના અર્થીંગની જેમ પ્રકારે ગ્રાઉન્ડીંગ શરીરમાં ઉર્જાને સંતુલિત કરે છે.

)           જૂના સમયમાં જૂતા ઘરની બહાર મૂકવામાં આવતા હતાં. લોકો ઘરમાં પગ પાણીથી ધોયા બાદ પ્રવેશ કરતાં. આમ કરવાથી બધી નકારાત્મક ઉર્જા ઘરની બહાર રહી જવા પામે છે અને ઘરમાં પ્રવેશતી નથી. હવેના સમયમાં લોકો ચપ્પલ ઘરની બહાર રાખતા કે રાખી શકતા નથી તો એટલું તો કરવું જોઇએ કે ચપ્પલ ઘરના પ્રવેશ દ્વાર પાસે ઉતારીએ, રાખીએ.

)           ખુલ્લી હવામાં બહાર જાવ. બગીચામાં કે ખુલ્લા મેદાનમાં ચાલવા જાવ. નિસર્ગના સાન્નિધ્યમાં રહેવાથી તમે ઉર્જાથી સભર રહો છો.

)           ઝાડૂ મારીને ઘર ચોખ્ખૂ રાખવાથી પણ ઘરના કચરા ભેગી નકારાત્મક ઉર્જા બહાર ફેંકાઈ જાય છે.

)           આખું મીઠુ નકારાત્મક ઉર્જા નાશક છે. ઘરમાં ભીનું પોતું ફેરવતી વખતે પાણી ભરેલી બાલ્દીમાં ચપટી આખું મીઠુ નાખી દો.આનાથી ઘરનાં ખૂણે ખૂણે ભરાયેલી નકારાત્મક ઉર્જા નાશ પામશે.

)           કૂંડામાંના છોડ કે ઘરની આસપાસના કે સોસાયટીના પરીસરમાં વાવેલા ઝાડ ઘરમાં અને ઘરની આસપાસ વધુ હકારાત્મક ઉર્જા પેદા કરે છે, જાળવી રાખે છે.

)           ક્યારેક ક્યારેક આખા મીઠાવાળા પાણીમાં નાહવાથી અથવા હાથ-પગ બોળવાથી તમારા શરીરમાંથી નકારાત્મક ઉર્જા નાશ પામે છે અને તમારી આભા સ્વચ્છ બને છે.

૧૦)         પ્રાર્થના વારંવાર અને નિયમિત કરવાથી ઘરમાં હકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે.

૧૧)          તમારા વાણી,વિચાર અને આચાર હકારાત્મક રાખો. નકારાત્મક વિચારો નકારાત્મક લાગણીઓ અને કંપનો પેદા કરે છે. આથી બધાં પ્રકારના નકારાત્મક વાણી,વિચાર અને આચાર થી દૂર રહો.

૧૨)         તમારા ઘરને પૂરતું પ્રકાશિત રાખો. પ્રકાશ નકારાત્મક ઉર્જાને દૂર કરે છે.

૧૩)         તમારી જાતમાં અને ભગવાનમાં વિશ્વાસ અને શ્રદ્ધા રાખો.
તમે તમારા ભાગ્યના ઘડવૈયા છો, તમે જીવનમાં જે વિકલ્પો પસંદ કરો છો તેના આધારે ઘડાય છે.
ખુશ રહો.

ભગવાન તમારા પર સદાયે અમી દ્રષ્ટી રાખે.


('ઈન્ટરનેટ પરથી')

Saturday, August 2, 2014

જિંદગીને બહેતર બનાવવાનાં 25 પગથિયાં – (ભાગ - ૧)


શ્રીરવિશંકરજી પચ્ચીસ એવાં પગલાં બતાવે છે, જેનો અમલ કરવાથી આપણી જિંદગી જરૂર બહેતર બની શકે. દરેક વ્યક્તિ પોતાની જિંદગી કઈ રીતે બહેતર બનાવી શકે અંગે આંતરખોજ  કરવી જરૂરી છે. સૌથી પહેલાં તમે તંદુરસ્ત છો કે નહીં તે જાણી લો. તંદુરસ્તી એટલે રોગમુક્ત શરીર, કંપનમુક્ત શ્વાસ, પ્રાણમુક્ત મન, ભયમુક્ત બુદ્ધિ, વળગણવિહોણી સ્મૃતિ, સર્વનો સમાવેશ કરતો અહમ અને ગ્લાનિમુક્ત આત્મા. વળી, જિંદગીનો હેતુ શું છે ? તેઓ કહે છે તમે અહીં ઉદાસ રહેવા નથી આવ્યા. કોઈનો દોષ કાઢવા નથી આવ્યા. તમે અહીં બિચારા બની રહેવા નથી આવ્યા. તમે અહીં ચિંતા કરવા નથી આવ્યા. તમે અહીં દેખાડો કરવા નથી આવ્યા. તમે ચિડાવા કે કોઈને ચિડવવા નથી આવ્યા. જિંદગી એક સુંદર રહસ્ય છે અને તમારે નિર્દોષતાથી એને જીવવાની છે. જીવનના રહસ્યને આવી પૂર્ણતાથી જીવી જાણવું આનંદ છે. હવે પેલાં પચીસ પગલાં :

[1] જીવનનો સંદર્ભ સમજો : લાખો વર્ષની સૃષ્ટિમાં આપણી સાઠ, સિત્તેર, સો વર્ષની જિંદગી કેટલી નગણ્ય છે ! એટલે નિર્ણય કરો. જે કંઈ પણ થાય, ઈશ્વરનું રક્ષણ મારા પર છે . દરેક પરિસ્થિતિમાં તમારા મનને શાંતિપૂર્ણ રાખો. બાકીનું બધું બરાબર થઈ રહેશે.

[2] જિંદગીની ક્ષણભંગુરતાને ઓળખો : જિંદગીની ક્ષણભંગુરતાને જુઓ. તે સત્ય છે. બધું વીતી જાય છે, આવતીકાલ પણ વીતી જશે. આપણી જિંદગીની પ્રકૃતિને ઓળખો તો જણાશે કે તમારી ભીતર કશુંક છે જે નથી બદલાયું. એક એવું બિંદુ છે જેના સંદર્ભે તમે અન્ય બાબતોને બદલાતી જોઈ શકો છો. સંદર્ભ બિંદુ જીવનનો સ્ત્રોત છે. શાણપણ છે. એનાથી જિંદગીની ગુણવત્તા સુધરે છે.

[3] તમારા સ્મિતને સસ્તું બનાવો : તમારે વધુ સ્મિત કરવું જોઈએ. દરરોજ સવારે ઊઠીને અરીસામાં જોઈ પોતાની જાતને એક સરસ મજાનું સ્મિત આપો. એમ કરવાથી તમારા

ચહેરાના તમામ સ્નાયુઓ રિલેક્સ થઈ જશે. મગજના જ્ઞાનતંતુ પણ હળવાશ અનુભવશે. પરંતુ આટલું કિંમતી સ્મિત તમે કેટલી સહેલાઈથી ગુમાવી દો છો. કોઈક તમને મૂર્ખાઈભર્યું કહે એટલે સ્મિત વિલાઈ જાય છે. કહેનારના મગજમાં કચરો ભર્યો હોય તો એને તો નાખવા માટે કચરાપેટીની જરૂર હોય . પણ તમે શા માટે કચરાપેટી બનો છો ? જરાક સમજો. જાગો. તમારા સ્મિતને કોઈના પણ સારા-માઠા શબ્દોનો ભોગ બનવા દ્યો. તમારા સ્મિતને સસ્તું અને ગુસ્સાને મોંઘો બનાવો. જેથી તમે સ્મિત વધુ અને ગુસ્સો ભાગ્યે કરશો. [4] ઉત્સાહી બનો અને અન્યની પ્રશંસા કરો : ઉત્સાહ તો જિંદગીની પ્રકૃતિ છે પરંતુ આપણામાંના ઘણાને કોઈના ઉત્સાહ પર ઠંડું પાણી રેડવાની આદત હોય છે. કોઈની પ્રશંસા કરીને ઉત્સાહ વધારવાની દરેક તક ઝડપી લો. ફરિયાદ કરનારને દિવ્ય પ્રેમ પ્રાપ્ત નથી થતો. તમે એવી વ્યક્તિ બનો જેનો ઉત્સાહ કદી ખૂટે નહીં.

[5] ધ્યાનને જિંદગીનો હિસ્સો બનાવો : જીવનમાં ઊંચા લક્ષ્યો પામવા રોજ થોડી મિનિટો ધ્યાન અને આંતરખોજ જરૂરી છે. સવાલ થશે કે ધ્યાન શું છે ? હું કહીશ કે ધ્યાન એટલે વ્યગ્રતાવિહોણું મન. હકીકતમાં ધ્યાન એટલે વર્તમાનની ક્ષણનો સ્વીકાર કરી પ્રત્યેક ક્ષણને ઊંડાણપૂર્વક પૂરેપૂરી જીવવી. બસ, આટલી સમજ સાથે રોજ ધ્યાનની પ્રેક્ટિસ કરો. પછી જુઓ, જિંદગીની ગુણવત્તા કેવી બદલાય છે.

[6] સૌથી સુંદર જગ્યાએ જાઓ : સુંદર જગ્યા બીજે ક્યાંય નહીં, તમારી ભીતર છે ! એક વાર તમે જગ્યાએ આવી જાઓ પછી બધાં સ્થળો તમારા માટે સુંદર છે. જગ્યાએ પહોંચવા તમારે તમારા શ્વાસ માટે કંઈક જાણવું અનિવાર્ય છે. આપણા શ્વાસ પાસેથી આપણે ખૂબ અગત્યનો પાઠ શીખવાનો છે. મનના પ્રત્યેક લયને અનુરૂપ એક લય શ્વાસનો હોય છે. અને શ્વાસના પ્રત્યેક લયને અનુરૂપ તેમાં લાગણીનો એક લય હોય છે. એટલે જ્યારે તમે મનને સીધી રીતે હેન્ડલ કરી શકો ત્યારે શ્વાસ થકી તેને હેન્ડલ કરી શકાશે. એટલે શ્વાસની કળા શીખો. જોઈએ તો દર વરસે થોડાક દિવસ તમારી જાતને પ્રકૃતિ સાથે જોડી દો. સૂર્યોદય સાથે ઊઠો, થોડી કસરત કરો, યોગ્ય ખોરાક લો. યોગ અને શ્વાસોશ્વાસની કસરત કરો. ગીતો ગાઓ અને સર્જનનું સૌંદર્ય પીતા પીતા મૌનને માણો.

[7] અસરકારક સંવાદ રચો : દરેક સાથે અસરકારક સંવાદ કરવાની કળા શીખો. તે માટે શું કરશો ? તમારાથી વધુ જાણકાર વ્યક્તિને મળો ત્યારે બાળક જેવા થઈ શીખવા માટે તમારા આંખ કાન ખુલ્લા રાખો. તમારાથી ઓછું જાણનાર વ્યક્તિ સાથે નમ્ર બનો અને એને પણ તમારા જેટલું કે તમારાથી વધુ જાણકાર બનાવવા પ્રયાસ કરો. યાદ રહે, હંમેશાં કંઈક ને કંઈક વહેંચવાનું, શીખવાનું અને શીખવવાનું હોય છે. આમ તમારી વાતચીત સુધરે છે ત્યારે તમારી જિંદગી પણ સુધરે છે.

[8] તમારે માટે સમય કાઢો : દિવસમાં કમ સે કમ થોડી મિનિટો, તમારી જાત સાથે ગાળો. હૃદયના ઊંડાણ સુધી જાઓ. આંખ બંધ રાખો અને દુનિયાને દૂર ફગાવી દો. (અલબત્ત, કામ કરતા હો ત્યારે પણ આવી રીતે સો ટકા કામમાં રહો.) આમ બધું ત્યજીને બેસશો ત્યારે તમારી સર્જકતા કોળશે.

[9] તમારી આસપાસની દુનિયાને બહેતર બનાવો : નદી જ્યારે સામાન્ય હોય છે ત્યારે નિયંત્રિત સ્વરૂપે વહે છે, પણ પૂર વખતે જળની કોઈ દિશા નથી હોતી. રીતે જિંદગીને દિશા આપવાની જરૂર છે. જીવન-ઊર્જાને નિયત દિશામાં વહેવા માટે નિષ્ઠાની જરૂર પડે છે. સમાજ પ્રત્યે આવી નિષ્ઠા કેળવો તો સમાજનો તમને સાથ મળશે. સમાજ નહીં, સમગ્ર દુનિયાને બહેતર સ્થાન બનાવવાની નિષ્ઠા કેળવો.

[10] તમારી સંવેદનાને પોષો : સંવેદના કે લાગણીવિહોણો માણસ સૂકા લાકડા જેવો છે. તમારા જીવનને એવું રસભર બનાવો કે, લોકો તમારી કંપની ઝંખે. સંગીત, પ્રાર્થના અને સેવાથી તમે તમારી જાતને એવી વ્યક્તિ બનાવી શકો. દુનિયા પાસેથી શું મેળવી શકું એમ વિચારવાને બદલે દુનિયાને શું આપી શકું તેમ વિચારો. તમે દિલથી ગાશો કે પ્રાર્થના કરશો ત્યારે તમારી લાગણીઓ પુષ્ટ બનશે.

(ક્રમશ:)

('ઈન્ટરનેટ પરથી')