Showing posts with label 'positive energy'. Show all posts
Showing posts with label 'positive energy'. Show all posts

Sunday, November 12, 2017

મનનું રહસ્ય

       ભૌતિક શાસ્ત્ર નો એક નિયમ છે એ મુજબ બ્રહ્માંડ માં રહેલ કુલ ઉર્જા નો જથ્થો અચલ છે. ઉર્જા ન તો સર્જી શકાય છે, ન તેનો વિનાશ કરી શકાય છે. વિજ્ઞાન માં હજી આવાં બીજાં ઘણાં નિયમો છે જે વિજ્ઞાન સાથે તર્કશાસ્ત્ર ને પણ લાગુ પડે છે. 
      દરેક મનુષ્ય પણ ચોક્કસ પ્રમાણમાં ઉર્જા ધરાવતું નાનકડું બ્રહ્માંડ છે. એક અતિ સરળ પણ સાત્વિક નિયમ તેને લાગુ પડે છે. જેટલા પ્રમાણમાં હકારાત્મક કે નકારાત્મક ઉર્જા આપણે ઉત્સર્જીત કરીએ છીએ તેટલી જ ઉર્જા આપણા સમગ્ર જીવન દરમ્યાન આપણી પાસે પાછી ફરે છે.
    જો હું કોઈક ને મદદ કરું અને તે આ ચેષ્ટા નો બદલો ન વાળી આપે તો ભવિષ્યમાં જ્યારે કોઈક વખત મને ખરી જરુર હશે ત્યારે મને એ
સારા કામ નો બદલો મળી રહેશે. કોઈક તરફ મેં વહેતી કરેલી હકારાત્મક ઉર્જા ચોક્કસ મારી પાસે પાછી ફરશે, એ વ્યક્તિ તરફથી નહિ તો બીજી કોઈક વ્યક્તિ તરફથી. તો પછી આપણે કોઈક ને કરેલી મદદ નું વળતર યોગ્ય રીતે તરત ને તરત ન મળ્યાનો વસવસો વ્યર્થ નથી?
      ગીતા માં પણ અપાયેલ કર્મ નાં આ સરળ સિદ્ધાંત ના સારમાં જો આપણે સૌ શ્રદ્ધા રાખતા શીખી જઈશું તો જીવન ઘણું સુગમ અને સુખી બની રહેશે. તમારું કર્મ ફળ ની આશા રાખ્યા વગર કરતા રહો, ફળ કુદરત આપી રહેશે. 
      જ્યારે આપણે કોઈક ખરાબ કામ કરતા હોઈએ છીએ ત્યારે આ નક્કર હકીકત આપણે ભૂલી જતા હોઈએ છીએ. પણ આપણે ફેલાવેલી કે સર્જેલી નકારાત્મક ઉર્જા ફરી આપણી પાસે આવ્યા વગર રહેતી નથી, તરત નહિ તો પછી થી.
      આ સમજ જો આપણે અમલમાં મૂકીએ તો તરત આપણને કાવાદાવા કરી રહેલો સહકર્મચારી, ષડયંત્ર રચી રહેલો પરિવારજન, માથા ભારે પાડોશી - એ બધું વામણું લાગવા માંડશે. કારણ તેમના નકારાત્મક વિચારો તમારા પર અસર કરી શક્શે નહીં, જ્યાં સુધી નકારાત્મક ઉર્જા તમારાં શરીર દ્વારા ઉત્સર્જીત થશે નહીં.
     મન નું આ રહસ્ય જેને સમજાઈ જાય તે મહા શક્તિશાળી બની શકે છે અને તેની આત્મા માંથી પરમાત્મા બનવાની સફર શરૂ થઈ જાય છે.

(ઇન્ટરનેટ પર થી) 

Sunday, February 7, 2016

તમારા ઘરમાં તમારા ઘરમાં હકારાત્મક ઉર્જા કઈ રીતે વધારશો?

)            બધીજ બારીઓ ખોલી ઘરમાં તાજી હવા અને સૂર્યપ્રકાશને પ્રવેશવા દો. છૂટથી ફરતી હવા અને સૂર્યપ્રકાશ નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે.

)            ઘરમાં પડેલી બધી બિનજરૂરી જૂની ચીજવસ્તુઓનો તરત નિકાલ કરીદો. ભંગાર નકારાત્મક ઉર્જાને આકર્ષે છે, નકારાત્મક ઉર્જા માટે ચુંબક સમાન છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા નો ભરાવો કરે છે.

)           ઘરમાં ઉઘાડા પગે ચાલવાથી બધી નકારાત્મક ઉર્જા જમીનમાં ઉતરી જાય છે.વિજળીના અર્થીંગની જેમ પ્રકારે ગ્રાઉન્ડીંગ શરીરમાં ઉર્જાને સંતુલિત કરે છે.

)           જૂના સમયમાં જૂતા ઘરની બહાર મૂકવામાં આવતા હતાં. લોકો ઘરમાં પગ પાણીથી ધોયા બાદ પ્રવેશ કરતાં. આમ કરવાથી બધી નકારાત્મક ઉર્જા ઘરની બહાર રહી જવા પામે છે અને ઘરમાં પ્રવેશતી નથી. હવેના સમયમાં લોકો ચપ્પલ ઘરની બહાર રાખતા કે રાખી શકતા નથી તો એટલું તો કરવું જોઇએ કે ચપ્પલ ઘરના પ્રવેશ દ્વાર પાસે ઉતારીએ, રાખીએ.

)           ખુલ્લી હવામાં બહાર જાવ. બગીચામાં કે ખુલ્લા મેદાનમાં ચાલવા જાવ. નિસર્ગના સાન્નિધ્યમાં રહેવાથી તમે ઉર્જાથી સભર રહો છો.

)           ઝાડૂ મારીને ઘર ચોખ્ખૂ રાખવાથી પણ ઘરના કચરા ભેગી નકારાત્મક ઉર્જા બહાર ફેંકાઈ જાય છે.

)           આખું મીઠુ નકારાત્મક ઉર્જા નાશક છે. ઘરમાં ભીનું પોતું ફેરવતી વખતે પાણી ભરેલી બાલ્દીમાં ચપટી આખું મીઠુ નાખી દો.આનાથી ઘરનાં ખૂણે ખૂણે ભરાયેલી નકારાત્મક ઉર્જા નાશ પામશે.

)           કૂંડામાંના છોડ કે ઘરની આસપાસના કે સોસાયટીના પરીસરમાં વાવેલા ઝાડ ઘરમાં અને ઘરની આસપાસ વધુ હકારાત્મક ઉર્જા પેદા કરે છે, જાળવી રાખે છે.

)           ક્યારેક ક્યારેક આખા મીઠાવાળા પાણીમાં નાહવાથી અથવા હાથ-પગ બોળવાથી તમારા શરીરમાંથી નકારાત્મક ઉર્જા નાશ પામે છે અને તમારી આભા સ્વચ્છ બને છે.

૧૦)         પ્રાર્થના વારંવાર અને નિયમિત કરવાથી ઘરમાં હકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે.

૧૧)          તમારા વાણી,વિચાર અને આચાર હકારાત્મક રાખો. નકારાત્મક વિચારો નકારાત્મક લાગણીઓ અને કંપનો પેદા કરે છે. આથી બધાં પ્રકારના નકારાત્મક વાણી,વિચાર અને આચાર થી દૂર રહો.

૧૨)         તમારા ઘરને પૂરતું પ્રકાશિત રાખો. પ્રકાશ નકારાત્મક ઉર્જાને દૂર કરે છે.

૧૩)         તમારી જાતમાં અને ભગવાનમાં વિશ્વાસ અને શ્રદ્ધા રાખો.
તમે તમારા ભાગ્યના ઘડવૈયા છો, તમે જીવનમાં જે વિકલ્પો પસંદ કરો છો તેના આધારે ઘડાય છે.
ખુશ રહો.

ભગવાન તમારા પર સદાયે અમી દ્રષ્ટી રાખે.


('ઈન્ટરનેટ પરથી')