Showing posts with label 'sudha murthy'. Show all posts
Showing posts with label 'sudha murthy'. Show all posts

Tuesday, September 23, 2014

અતિ ગરીબીએ પણ તેને ડગાવ્યો નહિ...


પ્રસંગ થોડા વર્ષો અગાઉ કર્ણાટકમાં બનેલી સત્યઘટના છે જે સુશ્રી સુધા મૂર્તિના પુસ્તક 'વાઈસ એન્ડ અધરવાઈસ'ના પહેલા પ્રકરણમાં સમાવવામાં આવ્યો છે. વાર્તાનો હીરો હનુમાનથપ્પા કર્ણાટક સ્કૂલ બોર્ડ પરીક્ષામાં આઠમા ક્રમે આવ્યો હતો. એક કુલીના પાંચ સંતાનો પૈકી તે સૌથી મોટો હતો. તેના પિતાની દૈનિક આવક માત્ર રૂપિયા ચાલીસ હતી. ઇન્ફોસીસ ફાઉન્ડેશન ચલાવનાર સુધાજીએ તેના ઉચ્ચ અભ્યાસનો ખર્ચ ઉપાડવાની તૈયારી દર્શાવી. પણ તેણે કહ્યું,"મારે બેલ્લારીમાં આવેલી શિક્ષકોની પ્રશિક્ષણ સંસ્થામાં શિક્ષક બનવાની તાલીમ લેવી છે."

સુધાજીએ તેને મહિનાના ૧૮૦૦ રૂપિયા લેખે શિષ્યવૃત્તિ આપી અને ભવિષ્યમાં પણ સહાય આપવાનું વચન આપ્યું. મહિના બાદ તેમણે ફરી તેને રૂપિયા ૧૮૦૦નો ડ્રાફ્ટ મોકલાવ્યો. તેણે મળ્યાની જાણ ચિઠ્ઠી લખી કરી જે વાંચીને સુધાજીને ખુબ નવાઈ લાગી. તેમણે જ્યારે ચિઠ્ઠી ધરાવતું પરબિડીયું ખોલ્યું ત્યારે તેમાં થોડા રૂપિયા અને એક ચિઠ્ઠી હતાં. ચિઠ્ઠીમાં પ્રમાણે લખ્યું હતું :

 "મેડમ, મને આગામી મહિના માટે ખર્ચ પેઠે ૧૮૦૦ રૂપિયાની રકમ મોકલી આપવાની તમારી ઉદારતા બદલ તમને વંદન.પણ હું પાછલા બે મહિનાથી બેલ્લારીમાં નથી.કોલેજ એક મહિનો વેકેશનને કારણે અને ત્યાર બાદ એક મહિનો હડતાળને લીધે બંધ હતી. આથી બે મહિના માટે હું ઘરે હતો.મારો બે મહિના દરમ્યાન થયેલો ખર્ચ છસ્સો રૂપિયા કરતા ઓછો હતો. આથી બે મહિના દરમ્યાન ખર્ચ કરેલી રકમના પૈસા પરત મોકલી રહ્યો છું, તેનો સાભાર સ્વીકાર કરશો."

પ્રમાણિકતા અને અખંડિતતા બે એવા મંત્રો છે જે અપનાવીએ તો તે માત્ર તમારી નહિ પણ તમારા નિકટજનોની  જિંદગી પણ સુધારે છે અને સૌના મોં પર સ્મિત લાવે છે.


('ઈન્ટરનેટ પરથી')

Saturday, July 16, 2011

ઇન્ફોસિસની સફળતાની ગાથા

ઇન્ફોસિસ ભારતની એક સૌથી મોટી અને સફળ આઈ.ટી. કંપની છે જેના નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે.તેની સફળતાની ગાથા જાણવાલાયક અને ખૂબ પ્રેરણાદાયી છે. અર્શદીપ સિંઘ જણાવે છે કે કઈ રીતે છ મિત્રોએ ભેગા મળી ભારતનું નસીબ બદલી નાંખ્યું.

ભારતને આઈ.ટી. ક્ષેત્રનું સુપરપાવર રાષ્ટ્ર જાહેર કરવાનું કારણ એ છે કે ઇન્ફોસિસે બીજી અનેક આઈ.ટી. કંપનીઓ માટે ભારતને વૈશ્વિક માપદંડો ધરાવનાર સોફ્ટવેર હબ તરીકે ઓળખ અપાવવાનો માર્ગ કંડાર્યો છે, સરળ બનાવ્યો છે. નાસ્ડેક ખાતે પ્રથમ લિસ્ટ થનાર ભારતીય આઈ.ટી. કંપની બનવાનું બહુમાન મેળવનાર ઇન્ફોસિસે જ પોતાના કર્મચારીઓને કંપનીના શેર આપવાની શરૂઆત કરી હતી. તાજેતરમાં જ પોતાના અસ્તિત્વના ત્રીસ વર્ષ પૂરા કરનાર ઇન્ફોસિસનો ઇતિહાસ, હિંમત અને ખંતનું શાનદાર ઉદાહરણ પૂરું પાડે છે.

એક નવા વિચાર સાથે નારાયણ મૂર્તિ અને બીજા છ મિત્રો (નંદન નિલેકણી, એન. એસ. રાઘવન, એસ. ગોપાલક્રિષ્ણન, એસ. ડી. શિબુલાલ, કે. દિનેશ અને અશોક અરોરા) એ મળીને, ગ્રાહકો માટે સોફ્ટવેર કોડ/પ્રોગ્રામ લખે એવી એક સ્વતંત્ર કંપનીની સ્થાપના કરવાના આશયથી ૧૯૮૧ની બીજી જુલાઈએ ઇન્ફોસિસની સ્થાપના કરી. તેનું ત્યારે નામ ‘ઇન્ફોસિસ કન્સલટન્ટ્સ પ્રા. લિ.’ હતું. આ કંપનીની શરૂઆતની મૂડી માત્ર દસહજાર રૂપિયા હતી જે નારાયણમૂર્તિએ પોતાની પત્ની સુધા મૂર્તિ પાસેથી ઉધાર લીધાં હતાં.આ બંને પતિપત્ની એ સંયુક્ત લોન પર પુણે ખાતે લીધેલું ઘર એ જ શરૂઆતના ઇન્ફોસિસની ઓફિસ હતી! આ નવી કંપનીની શરૂઆત બાદ સુધા મૂર્તિએ ઘરખર્ચ કાઢવા પોતે પણ નોકરી કરવી પડી હતી.સુધા મૂર્તિએ ૧૯૮૩ સુધી એક સિસ્ટમ એનાલિસ્ટ તરીકે નોકરી કરી. ત્યારે જ ઇન્ફોસિસ બેંગ્લોર શિફ્ટ થયું અને તેને પ્રથમ વિદેશી ગ્રાહક (અમેરિકાની ડેટા બેઝિક્સ કોર્પોરેશન)મળ્યો. બેંગ્લોર શિફ્ટ થયા બાદ સુધા મૂર્તિ પણ ઇન્ફોસિસમાં જ સોફ્ટવેર પ્રોગ્રામર તરીકે જોડાયા.કંપની પાસે પોતાની માલિકીની કાયમી જગા નહોતી કે નહોતો એકાદ ટેલિફોન. પણ કંઈક નવું નિર્માણ કરવાની ઝંખના તેમને સફળતાના નવા નવા શિખરો સર કરાવતી ગઈ. ભલે આ તબક્કો તેમના માટે ઘણો સંઘર્ષમય અને મુશ્કેલ હતો આમ છતાં તેમની ટીમ નિકટતા, ઘનિષ્ઠતા અને મૈત્રીભર્યા સંબંધો તેમજ હળવાશ જાળવી રાખવા ફરવા માટે પિકનિક્સ પર જતી.

તેમનું પ્રથમ સંયુક્ત સાહસ ૧૯૮૭માં ‘કર્ટ સાલ્મોન એસોસિયેટ્સ’ કંપની સાથે થયું. પહેલા અમેરિકામાં કામ કરી ચૂકેલા એસ. ગોપાલક્રિષ્ણને ત્યાંનું પ્રતિનિધિત્વ કર્યું. તેમ છતાં ૧૯૮૯માં આ સંયુક્ત સાહસ પડી ભાંગ્યું અને કંપની માટે બહુ ખરાબ અને કપરો સમય આવ્યો. તેના એક સ્થાપક અશોક અરોરાએ પોતાનો હિસ્સો વેચી દઈ છૂટા પડવાનો નિર્ણય લીધો જેની બીજા સ્થાપક માલિકો પર પણ અસર થઈ. આમ છતાં મૂર્તિ મક્કમ રહ્યાં અને અશોક સિવાય બધાં ઇન્ફોસિસને ટકાવી રાખવા સહમત થયાં. અને ત્યાર બાદ કંપનીના વિકાસના સૂરજનો ઉદય થયો અને આજે તો ઇન્ફોસિસે અનેક બીજા ક્ષેત્રોમાં ઝંપલાવી સારી એવી સિદ્ધી હાંસલ કરી છે.

અમેરિકા તેની સેવાઓનો સૌથી મોટો ગ્રાહક છે અને ઇન્ફોસિસનો ૬૦ % નફો ત્યાંથી જ પ્રાપ્ત થાય છે.૧૯૯૨માં ઇન્ફોસિસ એક પબ્લિક લિમિટેડ કંપની બની અને વર્ષ ૨૦૦૬માં તેની રજત જયંતિ વખતે તેની આવકના આંકડા અમેરિકી ડોલર બે અબજને પણ વટાવી ગયાં. આત્મશ્રદ્ધા અને હિંમતના પ્રતિક સમી આ ઇન્ફોસિસ કંપની આજે પણ પોતાની ૩૦થી વધુ ઓફિસો અને ૫૩૦૦૦ કરતાં પણ વધુ કર્મચારીઓ સાથે ભારતની ટોચની સોફ્ટવેર કંપનીનું સ્થાન ભોગવે છે.

('ઈન્ટરનેટ પરથી')