Showing posts with label 'ravindranath tagore'. Show all posts
Showing posts with label 'ravindranath tagore'. Show all posts

Sunday, September 2, 2012

રવિન્દ્રનાથ ટાગોરની એક સુંદર કવિતા

ઇશ્વરના ચરણોમાં પુષ્પ ચઢાવવા મંદિર ન જશો,


પહેલા તમારા ઘરને પ્રેમની ખુશ્બોથી મધમધતું કરજો...

ઇશ્વર સામે દિવો પેટાવવા મંદિર ન જશો,

પહેલા તમારા હ્રદયમાં રહેલા પાપોના અંધારા દૂર કરશો...

ઇશ્વર સામે તમારું શીશ પ્રાર્થનામાં ઝૂકાવવા મંદિર ન જશો,

પહેલા તમારી સામેના માણસની નમ્રતા અને માણસાઈ સામે આદર અને સન્માનથી ઝૂકતા શીખજો...

ઇશ્વર સામે ઘૂંટણિયે ઝૂકી પ્રાર્થના કરવા મંદિર ન જશો,

પહેલા તમારી સામે દુ:ખો અને અન્યાયથી ચગદાઈ ગયેલા વ્યક્તિને ઉભો કરવા ઝૂકશો...

ઇશ્વર સામે તમારા પાપોની ક્ષમા યાચના કરવા મંદિર ન જશો,

પહેલા તમારી સાથે જેણે અન્યાય કર્યો હોય કે જેણે તમને દુભવ્યા હોય તેમને હ્રદયપૂર્વક માફી આપશો...


('ઈન્ટરનેટ પરથી')