Saturday, November 12, 2016

પરીકથાઓ ફરી લખવાનો સમય આવી ગયો છે...

"...અને રાજકુમારીએ જોયું કે તે એક ઉંચા મકાનમાં કેદ થઈ ગઈ હતી જેની આસપાસ દુર્ગંધથી ઉભરાતું તળાવ હતું જેમાં સેંકડો મગર હતાં અને મકાનની ચોકી મોઢામાંથી આગ ઓંકતું એક ડરામણુ રાક્ષસી પંખી કરી રહ્યું હતું..." માતા પહોળી આંખો સાથે અને ગંભીર અવાજે પોતાની નાનકડી દિકરી સામે વાર્તાનું આગળનું પાનું વાંચતા બોલી. પછી થોડો ઉદાસ ચહેરો બનાવી બોલી," ..અને રાજકુમારી પોતાના સોહામણા રાજકુમારની વાટ જોતી રહી...જોતી રહી.."
"પણ મમ્મા રાજકુમારી રાજકુમારની વાટ શા માટે જોતી રહી?" નાનકડી દિકરી અકળામણ અને અધીરતા સાથે પૂછ્યું.
"જેથી આવી ને તેને બચાવી લે… એટલે ગાંડી!" માતાએ જવાબ આપ્યો.
દિકરી હવે પૂછ્યું," પણ રાજકુમારી ને બચવા માટે રાજકુમારની રાહ શા માટે જોવી પડે મમ્મા?" તરત દિકરી નવો સવાલ કર્યો.
" તો.... તો..." માતા જવાબ આપવા શબ્દો શોધી રહી...
માતા કંઈ જવાબ આપે પહેલા દિકરી ગર્વ અને હિંમતભેર બોલી,"જો રાજકુમારીની જગાએ હું હોત તો મેં વર્ષોના વર્ષો સુધી રાજકુમારની રાહ જોવાને બદલે પેલા ડરામણા રાક્ષસી પંખી સાથે દોસ્તી બાંધી લીધી હોત અને હું તેની પર બેસી જલ્દી ત્યાંથી ભાગી છૂટી હોત! મેં પોતે મારી જાતને રીતે બચાવી લીધી હોત. રાજકુમારી મૂરખી કહેવાય!"
આટલું કહી ઉભી થઈ પાણી પીવા ચાલી ગઈ. પણ તેના જવાબે અને વિચારોએ તેની માતાના મોઢા પર સ્મિત લાવી દીધું અને મનોમન બોલી,"લાગે છે હવે નવા યુગની પરીકથાઓ ફરી લખવાનો સમય આવી ગયો છે..."
ચાલો આપણે આપણી દિકરીઓને સ્વનિર્ભર અને સ્વતંત્ર બનતા શિખવીએ જેથી તેમણે તેમના પોતાના કલ્યાણ માટે કો રાજકુમાર કે ચમત્કાર ની રાહ જોવી પડે...


('ઈન્ટરનેટ પરથી')

Sunday, November 6, 2016

વિચારકણિકાઓ

·         જ્યારે પૂર આવે છે ત્યારે માછલીઓ કીડીને ખાય છે અને જ્યારે પૂરના પાણી ઓસરી જાય છે ત્યારે કીડીઓ માછલીઓને ખાય છે. માત્ર સમયનું મહત્વ છે. ધીરજ ધરો. ઇશ્વર સૌને મોડી વહેલી તક આપે છે.

·         થિયેટરમાં નાટક જોવા જાવ ત્યારે સૌથી આગળની સીટ મેળવા માટે પ્રયત્ન કરો છો અને ફિલ્મ જોવા જાવ ત્યારે સૌથી પાછળની. રીતે તમારું જીવનમાં સ્થાન સાપેક્ષ છે. ચોક્કસ કે સ્થિર નહિ.

·         સાબુ બનાવવા માટે તેલ વપરાય છે. પણ તેલ સાફ કરવા સાબુ નો ઉપયોગ થાય છે. આવી વિષમતા ક્યારેક જીવનમાં પણ જોવા મળે છે.

·         દરેક સમસ્યાના ( + ) હલ હોય છે.જેમાં '' સમસ્યાના એટલા હલ છે જે તમે અજમાવી ચૂક્યા હોવ છો અને હલ છે જે તમે અજમાવ્યો નથી.

·         જ્યારે તમે મુશ્કેલીમાં હોવ ત્યારે એમ વિચારો કે અંત આવી ગયો છે, જીવનનો એક વળાંક માત્ર હોય છે.

·         માત્ર બે પ્રકારના લોકો જીવનમાં સુખી હોય છે - એક પાગલ અને બીજા બાળક. નિર્ધારીત લક્ષ્યને હાંસલ કરવા પાગલ બની જાવ અને જે મેળવ્યું છે તેને માણવા બાળક જેવા બની જાવ.

·         સફળતાનું કોઈ એસ્કેલેટર નથી હોતું, મેળવા પગથિયા ચડવા પડે છે.

('ઈન્ટરનેટ પરથી')


Tuesday, November 1, 2016

દિવાળી વિષે કેટલીક ઓછી જાણીતી વાતો

સર્વે વાચક મિત્રોને દિવાળીની હ્રદયપૂર્વકની  શુભકામનાઓ !!!

દિવાળી વિષે ઓછી જાણીતી એવી કેટલીક રસપ્રદ વાતો આજે ઇન્ટરનેટ કોર્નરમાં જોઇએ.

એક માન્યતા પ્રમાણે શબ્દ 'દિવાળી /દીપાવલી' સૌ પ્રથમ વાર આચાર્ય જિનસેને તેમના હરિવંશ પુરાણમાં સ્વાતિ નક્ષત્ર દરમ્યાન કાર્તિક કૃષ્ણ ચૌદશે (અમાવસ્યાની સાંજે) વાપર્યો હતો.શક સંવત ૭૦૫માં તેની રચના થઈ. આમ ભારતવાસીઓ દર વર્ષે પ્રખ્યાત દિપાલિકાયાની ઉજવણી કરી જિનેન્દ્રના નિર્વાણને આદર પૂર્વક યાદ કરી તેમની પૂજા કરે છે. વાલ્મિકી રામાયણ ,મહાભારત્, પુરાણો કે તુલસીદાસ રચિત રામ ચરિત માનસમાં પણ દિવાળીનો ઉલ્લેખ નથી.આથી કદાચ એમ ધારી શકાય કે દિવાળી એક જૈન​ પરંપરા હતી જે પછીથી ભારતીય રંગે રંગાઈ અને લગભગ દરેક ભારતીય દ્વારા તે આજે ઉજ​વાય છે.

આ તહેવાર જૈન દેવતાઓના સન્માનમાં ઉજ​વ​વામાં આવે છે અને જૈન ધર્મના ૨૪ મા તીર્થંકર મહાવીર સ્વામી ના જીવનચક્રમાંથી અંતિમ મુક્તિ કે મોક્ષ મળ્યાની યાદમાં ઉજ​વાય છે. તેઓ ૭૨ વર્ષની વયે બિહારના પાવાપુરી ખાતે મોક્ષ પામ્યા હતા.

કાર્તિક વદ ચૌદસ​, કાર્તિક પૂર્ણિમા અને કાર્તિક વદ એકમ આ ત્રણ દિવસ પૌષાઢ, ઉપ​વાસ , ચોક્કસ મંત્રોના સતત જાપ અને ધ્યાનયોગ સાથે ઉજ​વ​વામાં આવે છે. જૈનો આ ત્રણ દિવસ ખાસ ઉપ​વાસ રાખે છે અને ઉત્તરાધ્યાયન સૂત્રનું શ્ર​વણ કરે છે જેમાં મહાવીર સ્વામી નો અંતિમ સંદેશ છે.

દિવાળીની આખી રાત પ​વિત્ર મંત્રો ઉચ્ચારી અને શ્રમણ ભગ​વાન મહાવીરના ધ્યાનમાં ગાળ​વી જોઇએ એમ જૈનો માને છે. ન​વા વર્ષના પ્રથમ પરોઢિયે મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય​ ગણધર ગૌતમ સ્વામીને સંપૂર્ણ જ્ઞાન ,બોધ પ્રાપ્ત થયા હતા.

જૈનો ન​વા વર્ષની શરૂઆત ભગ​વાન ગૌતમ સ્વામીની પૂજા  સાથે, સમર્પિત ભાવ સાથે તેમના પવિત્ર ગ્રંથમાંથી ન​વ સ્તોત્ર સાંભળી અને ગૌતમ સ્વામીના રસ (પ​વિત્ર પૌરાણિક કાવ્ય​) ને તેમના ગુરુ મહારાજ પાસેથી સાંભળી કરે છે.

આ દિવસે મહાવીર સ્વામીની મધ્ય રાત્રિએ અને બીજા દિવસની વહેલી સ​વારે પૂજા થાય છે. પ​વિત્ર મંત્રો બોલ​વામાં આવે છે અને આખું ઘર સુંદર રીતે શણગારી પ્રકાશિત કરાય છે. ગુજરાતના ગિરનારમાં તો આ ઉત્સ​વ એક અનોખા ઉત્સાહ અને ભારે જોશ સાથે ઉજ​વાય છે. આખા દેશમાંથી જૈન ભક્તો પાવાપુરી ખાતે ભેગા મળે છે અને મીઠાઈઓ વહેંચાય છે. ખેડૂતો પશુધન પાસે કામ કરાવતા નથી અને ખેતી માટે પોતાની માલિકીના બળદ ખરીદે છે.

દિવાળી શીખો માટે પણ એક સૌથી મહત્વનો તહેવાર છે.  તેમના માટે એક પવિત્ર દિવસ છે. ૧૫૭૭માં, દિવાળીને દિવસે શીખોના સૌથી અગત્યના પવિત્રધામ સુવર્ણ મંદીરનો પાયાનો પથ્થર મૂકાયો હતો. ત્રીજા શીખ ધર્મ ગુરુએ પોતાના બધાં શિષ્યોને ગુરુના આશિષ મેળવવા એક જગાએ ભેગા મળવા જણાવ્યું. દિવાળીસૌ પ્રથમ વાર છઠ્ઠા શીખ ધર્મગુરુ હરગોવિંદ સાહેબના જીવનકાળ દરમ્યાન મનાવાઈ હતી. સમયે મોગલ બાદશાહ જહાંગીરનું રાજ હતું. તેણે છઠ્ઠા ધર્મગુરુ અને અન્ય૫૨ હિન્દુ રાજાઓને જેલમાં પૂરી દીધાં. પણ ભારતનાં તેમજ ભારતની બહારના અનેક લોકોની વિનંતીઓને માન આપી તેણે દિવાળીને દિવસે ગુરુ હરગોવિંદ સાહેબનેમુક્ત કર્યા.   દિવસે ગુરુ હરગોવિંદ સાહેબના આગ્રહને માન આપી જહાંગીરે અન્ય ૫૨ હિન્દુ રાજાઓને પણ મુક્ત કરી દીધાં. શીખો ખુબ ખુશ હતા કારણ તેમનાનેતા , તેમના ધર્મગુરુ આઝાદ થઈ ગયા હતાં. ગુરુ હરગોવિંદજી મુક્ત થયા બાદ દિવાળીને  દિવસે સુવર્ણ મંદીર દર્શન કરવા ગયા હતા. ગુરુની માતા ઘણી ખુશ હતીઅને તેણે સૌને મીઠાઈ વહેંચી હતી. શ્રદ્ધાળુઓએ  દિવસે સુવર્ણ મંદીરના જળાશયમાં રંગીન પ્રકાશિત દીવા તરતા મૂક્યાં. રાતે પણ ભવ્ય આતશબાજી દ્વારા તેદિવસની ઉજવણી કરવામાં આવી.   દિવસે ૫૨ હિન્દુ રાજાઓ પણ મુક્ત થયા હોઈ અખંડ ભારત ભરમાં રંગો,ઉત્સાહ સાથે અને ફટાકડા ફોડી દિવાળીનો દિવસઉજવવામાં આવ્યો. શક્ય છે  પછી ભારતભરમાં દિવાળીનો તહેવર ધામધૂમથી ઉજવવાની શરૂઆત થઈ.

ભાઈ મણીસિંઘ એક ભારે વિદ્વાન હતા અને તેમણે ૧૭૦૪માં ગુરુ ગોવિંદ સિંહજી દ્વારા કહાયેલ ગુરુ ગ્રંથસાહેબ ની છેલ્લી આવ્રુત્તિ લખી હતી.૧૭૦૮માં તેમણેહરમંદીર સાહેબનું વ્યવસ્થાપન હાથમાં લીધું.દિવાળી તે સમયે સુવર્ણ મંદીરમાં નહોતી ઉજવાતી.૧૭૩૭માં પંજાબ પર રાજ કરતા મોગલ રાજા ઝકારીયા ખાને તેમને ભારેમોટા કરની બદલે દિવાળી સુવર્ણ મંદીરમાં ઉજવવાની પરવાનગી આપી.કોઈક કહે છે  કર રૂપિયા પાંચ હજાર હતો તો કોઈક કહે છે રૂપિયા દસ હજારસમગ્રભારતના શીખોને  'બંદી છોડદિવસની ઉજવણી માટે હરમંદીર સાહેબમાં પધારવા આમંત્રણ પાઠવાયા.ભાઈ સિંઘે વિચાર્યુ હતું કે  દિવાળી ઉજવણીમાં આવનારદરેક શીખ પાસેથી નાનકડી રકમ ફી પેઠે સ્વીકારતા તેઓ કર તરીકે ચૂકવેલી મસમોટી રકમ ભરપાઈ કરી શકશેપણ ભાઈ મણી સિંઘને પાછળ થી જાણ થઈ કેઝાકરીયા ખાને ભેગા થનાર સર્વે શીખોની સામૂહિક હત્યાનુ છૂપું ષડયંત્ર રચ્યું હતુંતેમણે તરત શીખોને  ઉજવણીમાં  આવવાના સંદેશાઓ મોકલી દીધાંભાઈમણી સિંઘજી કર માટે ચૂકવવાની રકમ એકઠી કરી શક્યા નહિઝાકરેયા ખાન ના મનસૂબાઓ પર પાણી ફરી વળ્યું આથી તે રોષે ભરાયો અને તેણે મણી ભાઈ સિંઘનીલાહોર ખાતે શરીરના ટુકડે ટુકડા કરી હત્યા કરવાનો ઘાતકી આદેશ આપ્યોત્યારથીશહીદ મણી ભાઈ સિંઘજીના  મહાન બલિદાન અને સમર્પણ ને યાદ કરીનેબન્દી છોડ દિવસ (દિવાળીતરીકે ઉજવવામાં આવે છે.

 પ્રકાશનું પર્વ છેદીપક જલાવવો  સાચા અર્થમાં દિવ્ય જ્ઞા પ્રાપ્ત કરવા અને સદગુણો (ઉદાર,નમ્ર,નરમ,સહનશીલ,નિસ્વાર્થ અને સારા શબ્દોબોલનાર બનવુંપ્રાપ્ત કરવાના પ્રતીક સમાન છેગુરુ ગ્રંથ સાહેબજીમાં ૩૫૮માં પાને કહ્યું છે કે ભગવાનનું નામ કહેવું (દિવ્ય સમર્પણ મારો દીપક છે (મનમાંપ્રગટાવવાનો); મેં દુર્ગુણ રૂપી વેદનાઓનું તેલ એમાં પૂર્યું છે (અહમઇર્ષ્યાક્રોધવાસનાલાલચ દીપકની જ્યોત  તેલને બાળી નાખશે અને હું વાહેગુરુમાંએકાકાર થઈ જઈશ.


('ઈન્ટરનેટ પરથી')