Showing posts with label diwali. Show all posts
Showing posts with label diwali. Show all posts

Tuesday, November 1, 2016

દિવાળી વિષે કેટલીક ઓછી જાણીતી વાતો

સર્વે વાચક મિત્રોને દિવાળીની હ્રદયપૂર્વકની  શુભકામનાઓ !!!

દિવાળી વિષે ઓછી જાણીતી એવી કેટલીક રસપ્રદ વાતો આજે ઇન્ટરનેટ કોર્નરમાં જોઇએ.

એક માન્યતા પ્રમાણે શબ્દ 'દિવાળી /દીપાવલી' સૌ પ્રથમ વાર આચાર્ય જિનસેને તેમના હરિવંશ પુરાણમાં સ્વાતિ નક્ષત્ર દરમ્યાન કાર્તિક કૃષ્ણ ચૌદશે (અમાવસ્યાની સાંજે) વાપર્યો હતો.શક સંવત ૭૦૫માં તેની રચના થઈ. આમ ભારતવાસીઓ દર વર્ષે પ્રખ્યાત દિપાલિકાયાની ઉજવણી કરી જિનેન્દ્રના નિર્વાણને આદર પૂર્વક યાદ કરી તેમની પૂજા કરે છે. વાલ્મિકી રામાયણ ,મહાભારત્, પુરાણો કે તુલસીદાસ રચિત રામ ચરિત માનસમાં પણ દિવાળીનો ઉલ્લેખ નથી.આથી કદાચ એમ ધારી શકાય કે દિવાળી એક જૈન​ પરંપરા હતી જે પછીથી ભારતીય રંગે રંગાઈ અને લગભગ દરેક ભારતીય દ્વારા તે આજે ઉજ​વાય છે.

આ તહેવાર જૈન દેવતાઓના સન્માનમાં ઉજ​વ​વામાં આવે છે અને જૈન ધર્મના ૨૪ મા તીર્થંકર મહાવીર સ્વામી ના જીવનચક્રમાંથી અંતિમ મુક્તિ કે મોક્ષ મળ્યાની યાદમાં ઉજ​વાય છે. તેઓ ૭૨ વર્ષની વયે બિહારના પાવાપુરી ખાતે મોક્ષ પામ્યા હતા.

કાર્તિક વદ ચૌદસ​, કાર્તિક પૂર્ણિમા અને કાર્તિક વદ એકમ આ ત્રણ દિવસ પૌષાઢ, ઉપ​વાસ , ચોક્કસ મંત્રોના સતત જાપ અને ધ્યાનયોગ સાથે ઉજ​વ​વામાં આવે છે. જૈનો આ ત્રણ દિવસ ખાસ ઉપ​વાસ રાખે છે અને ઉત્તરાધ્યાયન સૂત્રનું શ્ર​વણ કરે છે જેમાં મહાવીર સ્વામી નો અંતિમ સંદેશ છે.

દિવાળીની આખી રાત પ​વિત્ર મંત્રો ઉચ્ચારી અને શ્રમણ ભગ​વાન મહાવીરના ધ્યાનમાં ગાળ​વી જોઇએ એમ જૈનો માને છે. ન​વા વર્ષના પ્રથમ પરોઢિયે મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય​ ગણધર ગૌતમ સ્વામીને સંપૂર્ણ જ્ઞાન ,બોધ પ્રાપ્ત થયા હતા.

જૈનો ન​વા વર્ષની શરૂઆત ભગ​વાન ગૌતમ સ્વામીની પૂજા  સાથે, સમર્પિત ભાવ સાથે તેમના પવિત્ર ગ્રંથમાંથી ન​વ સ્તોત્ર સાંભળી અને ગૌતમ સ્વામીના રસ (પ​વિત્ર પૌરાણિક કાવ્ય​) ને તેમના ગુરુ મહારાજ પાસેથી સાંભળી કરે છે.

આ દિવસે મહાવીર સ્વામીની મધ્ય રાત્રિએ અને બીજા દિવસની વહેલી સ​વારે પૂજા થાય છે. પ​વિત્ર મંત્રો બોલ​વામાં આવે છે અને આખું ઘર સુંદર રીતે શણગારી પ્રકાશિત કરાય છે. ગુજરાતના ગિરનારમાં તો આ ઉત્સ​વ એક અનોખા ઉત્સાહ અને ભારે જોશ સાથે ઉજ​વાય છે. આખા દેશમાંથી જૈન ભક્તો પાવાપુરી ખાતે ભેગા મળે છે અને મીઠાઈઓ વહેંચાય છે. ખેડૂતો પશુધન પાસે કામ કરાવતા નથી અને ખેતી માટે પોતાની માલિકીના બળદ ખરીદે છે.

દિવાળી શીખો માટે પણ એક સૌથી મહત્વનો તહેવાર છે.  તેમના માટે એક પવિત્ર દિવસ છે. ૧૫૭૭માં, દિવાળીને દિવસે શીખોના સૌથી અગત્યના પવિત્રધામ સુવર્ણ મંદીરનો પાયાનો પથ્થર મૂકાયો હતો. ત્રીજા શીખ ધર્મ ગુરુએ પોતાના બધાં શિષ્યોને ગુરુના આશિષ મેળવવા એક જગાએ ભેગા મળવા જણાવ્યું. દિવાળીસૌ પ્રથમ વાર છઠ્ઠા શીખ ધર્મગુરુ હરગોવિંદ સાહેબના જીવનકાળ દરમ્યાન મનાવાઈ હતી. સમયે મોગલ બાદશાહ જહાંગીરનું રાજ હતું. તેણે છઠ્ઠા ધર્મગુરુ અને અન્ય૫૨ હિન્દુ રાજાઓને જેલમાં પૂરી દીધાં. પણ ભારતનાં તેમજ ભારતની બહારના અનેક લોકોની વિનંતીઓને માન આપી તેણે દિવાળીને દિવસે ગુરુ હરગોવિંદ સાહેબનેમુક્ત કર્યા.   દિવસે ગુરુ હરગોવિંદ સાહેબના આગ્રહને માન આપી જહાંગીરે અન્ય ૫૨ હિન્દુ રાજાઓને પણ મુક્ત કરી દીધાં. શીખો ખુબ ખુશ હતા કારણ તેમનાનેતા , તેમના ધર્મગુરુ આઝાદ થઈ ગયા હતાં. ગુરુ હરગોવિંદજી મુક્ત થયા બાદ દિવાળીને  દિવસે સુવર્ણ મંદીર દર્શન કરવા ગયા હતા. ગુરુની માતા ઘણી ખુશ હતીઅને તેણે સૌને મીઠાઈ વહેંચી હતી. શ્રદ્ધાળુઓએ  દિવસે સુવર્ણ મંદીરના જળાશયમાં રંગીન પ્રકાશિત દીવા તરતા મૂક્યાં. રાતે પણ ભવ્ય આતશબાજી દ્વારા તેદિવસની ઉજવણી કરવામાં આવી.   દિવસે ૫૨ હિન્દુ રાજાઓ પણ મુક્ત થયા હોઈ અખંડ ભારત ભરમાં રંગો,ઉત્સાહ સાથે અને ફટાકડા ફોડી દિવાળીનો દિવસઉજવવામાં આવ્યો. શક્ય છે  પછી ભારતભરમાં દિવાળીનો તહેવર ધામધૂમથી ઉજવવાની શરૂઆત થઈ.

ભાઈ મણીસિંઘ એક ભારે વિદ્વાન હતા અને તેમણે ૧૭૦૪માં ગુરુ ગોવિંદ સિંહજી દ્વારા કહાયેલ ગુરુ ગ્રંથસાહેબ ની છેલ્લી આવ્રુત્તિ લખી હતી.૧૭૦૮માં તેમણેહરમંદીર સાહેબનું વ્યવસ્થાપન હાથમાં લીધું.દિવાળી તે સમયે સુવર્ણ મંદીરમાં નહોતી ઉજવાતી.૧૭૩૭માં પંજાબ પર રાજ કરતા મોગલ રાજા ઝકારીયા ખાને તેમને ભારેમોટા કરની બદલે દિવાળી સુવર્ણ મંદીરમાં ઉજવવાની પરવાનગી આપી.કોઈક કહે છે  કર રૂપિયા પાંચ હજાર હતો તો કોઈક કહે છે રૂપિયા દસ હજારસમગ્રભારતના શીખોને  'બંદી છોડદિવસની ઉજવણી માટે હરમંદીર સાહેબમાં પધારવા આમંત્રણ પાઠવાયા.ભાઈ સિંઘે વિચાર્યુ હતું કે  દિવાળી ઉજવણીમાં આવનારદરેક શીખ પાસેથી નાનકડી રકમ ફી પેઠે સ્વીકારતા તેઓ કર તરીકે ચૂકવેલી મસમોટી રકમ ભરપાઈ કરી શકશેપણ ભાઈ મણી સિંઘને પાછળ થી જાણ થઈ કેઝાકરીયા ખાને ભેગા થનાર સર્વે શીખોની સામૂહિક હત્યાનુ છૂપું ષડયંત્ર રચ્યું હતુંતેમણે તરત શીખોને  ઉજવણીમાં  આવવાના સંદેશાઓ મોકલી દીધાંભાઈમણી સિંઘજી કર માટે ચૂકવવાની રકમ એકઠી કરી શક્યા નહિઝાકરેયા ખાન ના મનસૂબાઓ પર પાણી ફરી વળ્યું આથી તે રોષે ભરાયો અને તેણે મણી ભાઈ સિંઘનીલાહોર ખાતે શરીરના ટુકડે ટુકડા કરી હત્યા કરવાનો ઘાતકી આદેશ આપ્યોત્યારથીશહીદ મણી ભાઈ સિંઘજીના  મહાન બલિદાન અને સમર્પણ ને યાદ કરીનેબન્દી છોડ દિવસ (દિવાળીતરીકે ઉજવવામાં આવે છે.

 પ્રકાશનું પર્વ છેદીપક જલાવવો  સાચા અર્થમાં દિવ્ય જ્ઞા પ્રાપ્ત કરવા અને સદગુણો (ઉદાર,નમ્ર,નરમ,સહનશીલ,નિસ્વાર્થ અને સારા શબ્દોબોલનાર બનવુંપ્રાપ્ત કરવાના પ્રતીક સમાન છેગુરુ ગ્રંથ સાહેબજીમાં ૩૫૮માં પાને કહ્યું છે કે ભગવાનનું નામ કહેવું (દિવ્ય સમર્પણ મારો દીપક છે (મનમાંપ્રગટાવવાનો); મેં દુર્ગુણ રૂપી વેદનાઓનું તેલ એમાં પૂર્યું છે (અહમઇર્ષ્યાક્રોધવાસનાલાલચ દીપકની જ્યોત  તેલને બાળી નાખશે અને હું વાહેગુરુમાંએકાકાર થઈ જઈશ.


('ઈન્ટરનેટ પરથી')

Saturday, November 7, 2015

દિવાળી


દિવાળી પ્રકાશ સાથે ઉત્સાહ અને ઉમંગનો તહેવાર છે. તહેવારને આપણે બધાં હિન્દુઓ જોમથી ઉજવીએ છીએ. પર્વ વિશેની કેટલીક ઓછી જાણીતી વાતો આજની જન્મભૂમિની 'ઇન્ટરનેટ કોર્નર' કટાર થકી તેમજ આવતી કાલની જન્મભૂમિ પ્રવાસીની મારી કટાર 'બ્લોગ ને ઝરૂખે થી...' થકી બે ભાગમાં શેર કરીશ.આપ સર્વે ને અંધારાથી જ્ઞાનના અજવાળા તરફ લઈ જતા તહેવારની તથા નવા વર્ષની હાર્દિક શુભેચ્છા!
 ભારત સાંસ્કૃતિક દ્રષ્ટીએ એટલો સમૃદ્ધ દેશ છે કે એમાં દર મહિને એકાદ નવો તહેવાર ઉજવાય છે.મોટા ભાગના તહેવારોનું મૂળ ભારતીય પુરાણોમાંથી જડી આવે છે અને લગભગ દરેક ભારતીય તહેવાર સાથે કેટલીક રસપ્રદ પૌરાણિક વાર્તાઓ પણ સંકળાયેલી જોવા મળે છે.
                સમૃદ્ધ આધ્યાત્મિક અને ધાર્મિક પોતને કારણે દરેક તહેવાર સાથે સંકળાયેલી આવી વાર્તાઓ એકાદ બે દેવ કે દેવી સાથે અચૂક વણાયેલી હોય છે.દિવાળી પણ આવો એક લોકપ્રિય તહેવાર છે જે એક નહિ પણ પાંચેક જેટલા તહેવારોના સમૂહ તરીકે એક સાથે ભારે ઉમંગોલ્લાસથી ઉજવાય છે.
તહેવાર સાથે સંકળાયેલી કેટલીક વાતો તો આપણે સૌ જાણીએ છીએ જેમકે દિવાળીને દિવસે શ્રી રામચંદ્ર ચૌદ વર્ષના વનવાસ બાદ લંકા પતિ અસુર રાવણને યુદ્ધમાં હરાવી તેમજ તેની પાસેથી પોતાની પત્ની સીતાને છોડાવી પોતાના લઘુબંધુ લક્ષમણ સાથે અયોધ્યા પરત ફર્યા હતા જેથી પૂરી અયોધ્યા નગરીએ પોતાના પ્રિય એવા રાજકુમારનું ભાવભીનું સ્વાગત ઝળહળતા દીવા પ્રગટાવી કર્યું હતું.
મહાભારત સાથે પણ કાર્તિકી અમાવસ્યાની એક રસપ્રદ વાર્તા સંકળાયેલી છે.કૌરવો સામે સોગઠાબાજીની રમતમાં હારી ગયા બાદ પાંડવોને તેર વર્ષનો વનવાસ વેઠવો પડ્યો. વનવાસ વેઠ્યા બાદ પાંડવો કાર્તિકી અમાસને દિવસે પોતાના રાજ્યમાં પાછા ફર્યાં.તેમનું સ્વાગત કરવા દરેક રાજ્યવાસીઓએ માટીના કોડિયામાં દીવા પ્રગટાવ્યાં અને ત્યારથી દિવાળી પ્રકાશના ઉત્સવની ઉજવણી શરૂ થઈ.
 પણ કદાચ ઘણાંને ખબર નહિ હોય કે દિવાળીની રાત પછીના પવિત્ર દિવસે ધનના દેવી શ્રી લક્ષ્મીનું અવતરણ થયું હતું. દેવ અને દાનવો વચ્ચે થયેલા સમુદ્ર મંથન દરમ્યાન પવિત્ર દિવસે સંપત્તિ અને સમૃદ્ધિના દેવી ગણાતા શ્રી લક્ષ્મી ઉદભવ્યા હતાં આથી દિવાળીની રાતે લક્ષ્મી પૂજન કરવાની પરંપરાનો શુભારંભ થયો.
દિવાળીને દિવસે ભગવાન વિષ્ણુએ તેમના પાંચમા અવતાર વામન સ્વરૂપે શ્રી લક્ષ્મીને બળી રાજાના બંધનમાંથી મુક્ત કર્યા હોવાનું પણ મનાય છે અને કારણે પણ દિવાળીએ મા લક્ષ્મીની પૂજા કરી દિવાળી ઉજવાતી હોવાનું મનાય છે.
દિવાળી ઉજવવા પાછળ અન્ય એક વાર્તા નરકાસુરની છે જે નેપાળની દક્ષિણે આવેલા પ્રાગજ્યોતિષ્પુર પર રાજ કરતો હતો.એક યુદ્ધમાં તેણે દેવ ઇન્દ્રને હરાવી કૃષ્ણના પત્ની સત્યભામાના સંબંધી અને દેવમાતા તેમજ સુરલોકના શાસક દેવી અદિતિના કાનના લટકણિયા છિનવી લીધા. નરકાસુરે દેવોની સોળહજાર પુત્રીઓને તેમજ સંતોને પણ કેદમાં પૂરી દીધાં. કૃષ્ણની મદદથી સત્યભામાએ નરકાસુરને હરાવ્યો અને તેની કેદમાંથી સોળહજાર સ્ત્રીઓની તેમજ સંતોને પણ છોડાવ્યાં અને દેવી અદિતિના લટકણિયા પણ પાછા મેળવી આપ્યાં.
બીજી એક વાર્તા પ્રમાણે મહાન હિન્દુ રાજા વિક્રમાદિત્યનો રાજ્યાભિષેક દિવાળીને દિવસે થયો હતો તેની ઉજવણી રૂપે માટીના દિવા પ્રગટાવી પર્વ મનાવવાની શરૂઆત થઈ.
દિવાળી શરદ ઋતુની કાપણીના વૈભવની ઉજવણીનું પર્વ પણ ગણાય છે અને જુદા જુદા દેવી-દેવતાઓને સમર્પિત કરાયો છે.એમ પણ મનાય છે કે રામ વનવાસ બાદ વિમાનમાં બેસી પાછા ફરી રહ્યા હતાં ત્યારે હજારો અવધવાસીઓએ પ્રકાશિત દીવા પ્રગટાવ્યા હતા જેથી તેમના વિમાનને તેમની નગરીનો માર્ગ સહેલાઈથી જડી રહે. આમ વર્ષની સૌથી કાળી રાતે એક ઉજ્જવળ સવારનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું જ્યારે રામ તેમની પત્ની અને ભાઈ સાથે તેમની ખાનદાની રાજધાની અવધ નગરી પાછા ફર્યાં!
દિવાળી ત્રણ દેવીઓ લક્ષ્મી,કાલી(દુર્ગા) અને સરસ્વતી ના ઉદાર સ્વભાવની પણ ઉજવણી કરે છે. દિવાળીના બે દિવસ પહેલા ઉજવાતી ધનતેરસ શ્રી લક્ષ્મીને સમર્પિત કરાઈ છે જેના આશિર્વાદ એક સમૃદ્ધ,ફળદાયી અને શાંત-સુખી જીવન માટે જરૂરી છે.
દિવાળીને આગલે દિવસે ઉજવાતી કાળી ચૌદસ મહાકાળીમા ને સમર્પિત કરાઈ છે જેની તાકાત આપણે પ્રાપ્ત કરેલી સંપત્તિનું જતન અને જાળવણી કરવા જરૂરી છે.શારીરિક,માનસિક અને આધ્યાત્મિક તાકાત એક સુખી અને સંતુલિત જીવન જીવવા અતિ જરૂરી છે.
દિવાળી નો દિવસ દેવી સરસ્વતીને સમર્પિત કરાયો છે. જ્ઞાન સાચી સંપત્તિ છે જે કોઈ તમારી પાસે થી છિનવી શક્તું નથી. ખરી તાકાત પણ છે કારણ ગમે તેવા પ્રચંડ બળને ઝૂકાવી શકે છે.
('ઈન્ટરનેટ પરથી')