Showing posts with label suvaakyo. Show all posts
Showing posts with label suvaakyo. Show all posts

Monday, May 16, 2011

જીવનનો મુખવાસ

· જેટલી બને તેટલી ચાલાકી ઓછી કરો ઉપરવાળા ની મહેરબાની વધારે થશે.


· કરેલ કર્મનું ફળ અચુક મળે જ છે , માટે દુ:ખ આવે ત્યારે ભગવાન પાસે માફી નહી સદ્દબુધ્ધિ અને સહનશક્તિ માંગો

· ખિલખિલાટ હસતું બાળક મોટું થતાં જ હસવાનું ભુલી જાય છે .બાળકના ઉછેરમાં અને આપણી સમાજ વ્યવસ્થામાં જરૂર કંઈક ગડ્બડ છે .

· આ દુનિયાના દરેક સંબંધો સ્વાર્થ પર જ બંધાયા છે. ‘મારે બને એટલું ઓછું દેવું છે તમારે બને એટલું વધારે લેવું છે’ - ફેરવી શકાય તો આ ગણિત ફેરવી નાખો .

· આ દુનિયામાં તમારૂ મનુષ્ય તરીકેનું હોવું માત્ર સૈથી મોટી ખુશીની વાત છે .

· એ વાત મહત્વની નથી કે તમે પૈસાદાર છો કે ગરીબ , કારણકે દરેક માણસનો અંત એક સરખો જ છે-મુત્યુ. મહત્વની વાત એ છે કે મર્યા બાદ કોણ શું અને કેટલું સાથે લઈ જઈ શક્યો .

· પતિ-પત્ની,મા-બાપ,ભાઈ-બહેન,ભાઈ-ભાઈ,બહેન-બહેન,દીકરો-દીકરી આ બધાં સંબંધો લેણાદેણી અને રૂણાનુબંધની વાત છે અને તેને લઈને ઉભા થતાં સુખ:દુખ તો ભોગવ્યે જ છૂટકો.· એક દિવસ અચાનક બધું મૂકીને ચાલ્યા જવું પડશે એ જાણતાં હોવાં છતાં જરૂર કરતાં વધારે ભેગું કરવામાં જ આપણે શા માટે રચ્યાપચ્યા રહીએ છીએ?

· જિંદગી મળવી એ નસીબ ની વાત છે,

મૃત્યુ મળવું એ સમય ની વાત છે,

પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું,

એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે…

· પોતાનાં વગર દુનિયા અટકી પડશે એવું માનનારાઓથી કબરો ભરેલી છે.

· કોણ કહે છે ભગવાન ના ઘરે અંધેર છે,

સુખ અને દુખ તો છે ઈશ્વર ની પ્રસાદી,

બાકી તો માનવી ની સમજ સમજ માં ફેર છે..

· નાનપણ હતું ત્યારે જલ્દી યુવાન થવા માંગતા હતા, પણ હવે સમજાયું કે,

અધૂરા સપના અને અધુરી લાગણી ઓ કરતા અધૂરું હોમવર્ક અને તૂટેલા રમકડાં વધુ સારા હતા !!

· કોઈનો પ્રેમ ક્યારેય ઓછો નથી હોતો,

આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.

- હરીન્દ્ર દવે

· એક પતંગીયું મહત્તમ 140 દિવસ જીવે છે, પણ છતાંય તે આનંદપૂર્વક જીવી શકે છે, ઘણાં હૈયા જીતી શકે છે. · જીવનની દરેક ક્ષણ કિમતી છે. ખુશ રહો, હ્રદય જીતતા રહો.

· જો વિશ્વ તમને મદદ કરવાની ના પાડી દે તો હતાશ ન થશો, આઇન્સ્ટાઇનના શબ્દો યાદ કરો, “હું એ બધાનો આભારી છું જેમણે મને મદદ કરવાની ના પાડી, એમના જ કારણે મેં આ કાર્ય મારી જાતે કર્યું.”

· પ્રસન્નતામાં નથી હોતી કે નીંદામાં નથી હોતી, મજા જે હોય છે ચૂપમાં તે ચર્ચામાં નથી હોતી – અસીમ રાંદેરી

· ધીરજ સદાય હુંકાર ભરતી નથી, ક્યારેક એ દિવસના અંતે એક શાંત નાદ હોય છે, એ કહેવા કે હું કાલે ફરી પ્રયત્ન કરીશ.

· સંગાથે હોય ત્યારે અટવાતા ચાલીએ, કે એકલાનો રાહ એકધારો, મઝધારે મહાલવાનો મોકો મળ્યો તો ભલે આઘો ઠેલાય આ કિનારો. – હરિન્દ્ર દવે

· સખત મહેનત વાળું જીવન એ દૂધના ભરેલા પ્યાલા જેવું છે, અને નસીબ ખાંડ જેવું, પ્રભુ આપણને ખાંડ ત્યારે જ આપી શકે જો આપણી પાસે દૂધ ભરેલો પ્યાલો હોય

· વિશ્વમાં બે પ્રકારના લોકો હોય છે, આપનારાઓ અને લેનારાઓ. લેનારાઓ કદાચ સારુ ખાઇ શક્તા હશે, પણ આપનારાઓ સંતોષભરી નિંદ્રા માણી શકે છે. – મધર ટેરેસા

· જો રસ્તો સુંદર હોય તો ખાત્રી કરો કે તે જોઇતી મંઝિલ તરફ જાય છે કે નહીં, પણ જો મંઝિલ સુંદર હોય તો ગમે તેવો રસ્તો હોય, ચાલી નીકળો….

· સફળ લોકો ખુરશીમાં આરામ કરતા નથી, તેઓ તેમના કામ કરીને આરામ અનુભવે છે, સ્વપ્નો સાથે સૂવે છે અને તેમને પૂરા કરવાના ધ્યેય સાથે ઉઠે છે.

· જીવનમાં મળતી તક આપણા જીવનનો માર્ગ નક્કી કરે છે, એ પણ જે આપણે ચૂકી ગયા હોઇએ.

· પ્રભુ જ્યારે કોઇ કામ માટે ના કહે, ત્યારે એમ વિચારો કે એથી મોટી હા માટે છે. એ નકાર નથી, ફક્ત દિશા બદલાવ છે.

· આપણે બંને એક બીજાને એક રૂપીયો આપીએ તો આપણી બેયની પાસે એક એક રૂપીયો હશે, પણ આવું જો કોઇ સારા વિચાર માટે કરીએ તો આપણા બેય પાસે બે સુંદર વિચાર હશે.

· પાંચ વર્ષના બાળક માટે દોસ્તી : મને ખબર છે કે તે મારી બેગમાંથી રોજ ચોકલેટ ખાઇ જાય છે, છતાંય હું એને રોજ ત્યાં જ રાખું છું.

· પ્રેમ, ઘણી વાર એક ક્ષણ માટે હોય છે, ઘણી વાર જીવનભર માટે, પણ ઘણી વખત તમે જેને પ્રેમ કરો તેની સાથેની એક ક્ષણ જીવનભર માટે હોય છે.

· હું કહું ને તું સાંભળે કે તું કહે ને હું સાંભળું એ દોસ્તી છે, પણ હું કાંઇ પણ ન કહું અને તું બધુંય સમજી જાય તે સાચી દોસ્તી છે.

· આનંદ અને સંતોષ વચ્ચે તફાવત શું? – જીવનમાં જે ગમે તે મળે તે આનંદ અને જીવનમાં જે પણ મળે તે ગમે તેનું નામ સંતોષ

· મહેનતથી મળેલું કદી અલ્પ ન હોય, વચ્ચે જે તૂટે તે સંકલ્પ ન હોય, તમે નિરાશાને દૂર રાખો ખુદથી, કારણકે જીતનો કોઇ વિકક્પ ન હોય.

· સફળતાને મગજ પર ચઢવા ન દો, અને નિષ્ફ્ળતાને મન પર. (તમિલ કહેવત)

· સમાજમાં બે પ્રકારના લોકો છે, એક જે કામ કરે છે અને બીજા જેઓ શ્રેય લઈ જાય છે. પ્રથમ વર્ગમાઁ રહેવાનો પ્રયત્ન કરો, ત્યાં સ્પર્ધા ખૂબ ઓછી છે. – ઈન્દિરા ગાંધી

· પૈસા હોવા, અને તેનાથી ખરીદી શકાય તેવી વસ્તુઓ હોવી એ સારી વાત છે, પણ એ મેળવવાની લ્હાયમાં એવી વસ્તુઓ ન ખોઈ બેસતા જે પૈસો ખરીદી શક્તો નથી.

· ઘણી વખત આપણી મહત્તમ શક્તિ આપણી મોટામાં મોટી નબળાઈમાંથી આવે છે.

· જીવનનો સૌથી મોટો આનંદ એ કરવામાં છે જે લોકો માને છે, તમે કદી નહીં કરી શકો.

· મૃત્યુ એ દીવો હોલવવાની વાત નથી, એ છે બત્તી બંધ કરવી કારણકે સૂર્યોદય થઈ રહ્યો છે.– રવિન્દ્રનાથ ટાગોર

· બીજી મીણબત્તીને જ્યોત આપવામાં પ્રથમ મીણબત્તીએ કાંઈ ગુમાવવાનું નથી, પણ તેના કામમાં એક સાથીદાર મળશે.

('ઈન્ટરનેટ પરથી')