Showing posts with label 'religion and spirituality'. Show all posts
Showing posts with label 'religion and spirituality'. Show all posts

Sunday, April 14, 2019

ધર્મ અને અધ્યાત્મ

ધર્મ એક નથી, ઘણાં છે; અધ્યાત્મ એક જ છે.

ધર્મ સૂતેલાઓ માટે છે, અધ્યાત્મ જાગેલા માટે છે.

ધર્મ એમના માટે છે જેમને શું કરવું એ કહેવાની અને માર્ગદર્શનની જરૂર હોય છે, અધ્યાત્મ એમના માટે છે જેઓ પોતાના અંતરના અવાજ પ્રત્યે સભાન હોય છે.

ધર્મ ના ચૂસ્ત નિયમો હોય છે, અધ્યાત્મ આપણને દરેક બાબતનું કારણ શોધવા, પ્રશ્નો પૂછવા પ્રેરે છે.

ધર્મ ધમકાવે અને ડરાવે છે, અધ્યાત્મ આંતરીક શાંતિ બક્ષે છે.

 ધર્મ પાપ અને પસ્તાવાની વાત કરે છે, અધ્યાત્મ ભૂલમાંથી કઇંક શીખવાની વાત કહે છે.

ધર્મ દરેક ખોટી વસ્તુને દબાવે છે, અધ્યાત્મ દરેક વસ્તુને ઉંચે લઈ જાય છે, સત્ય ની નજીક આણે છે.

ધર્મ એક ભગવાનની વાત કરે છે, એ પોતે ભગવાન નથી. અધ્યાત્મ સર્વજ્ઞ છે અને તેથી એ ઈશ્વરમાં છે.

ધર્મ છતું કરે છે, અધ્યાત્મ નવી શોધ કરે છે.

ધર્મ કોઈ પ્રશ્ન સહન કરતો નથી, અધ્યાત્મ દરેક બાબત અંગે પ્રશ્ન કરે છે.

ધર્મ મનુષ્યો સર્જિત છે, એ માણસો દ્વારા બનાવાયેલા નિયમો દ્વારા સંચાલિત થાય છે. અધ્યાત્મ દિવ્ય છે, કોઈ પ્રકારના માનવ સર્જિત નિયમો દ્વારા ચાલતો નથી.

ધર્મ ભાગલાનું કારણ છે, અધ્યાત્મ જોડે છે.

ધર્મ તમે એમાં વિશ્વાસ કરો એવી અપેક્ષા રાખે છે, અધ્યાત્મમાં વિશ્વાસ કેળવવા તેને આત્મસાત કરવો પડે છે.

ધર્મ કોઈક પવિત્ર પુસ્તકમાં લખેલા સિદ્ધાંતો અનુસરે છે, અધ્યાત્મ દરેક પુસ્તકમાં પવિત્રતા ઝંખે છે.

ધર્મ ડર પર નભે છે, અધ્યાત્મ વિશ્વાસ અને શ્રદ્ધા પર નભે છે.

ધર્મ વિચારમાં જીવે છે, અધ્યાત્મ અંતરની શુદ્ધિમાં.

ધર્મ કર્મકાંડ માં માને છે, અધ્યાત્મ અંતર મન સાથે વાર્તાલાપમાં.

ધર્મ અહં ને પોષે છે, અધ્યાત્મ પરમાત્મામાં વિલીન કરવા પ્રેરે છે.

ધર્મ આપણને એક ઈશ્વરને પામવા સંસારનો ત્યાગ કરવા સમજાવે છે, અધ્યાત્મ આપણને આપણી સાંસારિક જવાબદારીઓનો ત્યાગ કર્યા વગર પરમાત્મામાં એકાકાર થઈ જીવવા કહે છે.

ધર્મ એક ધૂન છે, સાંપ્રદાયિક પ્રણાલિ છે, અધ્યાત્મ અંતરના ધ્યાનની પ્રક્રિયા છે.

ધર્મ આપણને સ્વર્ગમાં કીર્તિ, યશ અને સુખના સ્વપ્ન બતાવે છે, અધ્યાત્મ આપણને પૃથ્વી પર સ્વર્ગનો અનુભવ કરતા શીખવે છે.

ધર્મ ભૂત કાળ માં અને ભવિષ્યકાળમાં જીવે છે, અધ્યાત્મ વર્તમાનમાં જીવે છે.

ધર્મ આપણાં મનમાં ગાંઠો સર્જે છે, અધ્યાત્મ આપણી વિવેકબુદ્ધિને મુકત કરે છે.

ધર્મ આપણને શાશ્વત જીવનમાં વિશ્વાસ કરતા શીખવે છે, અધ્યાત્મ આપણને શાશ્વત જીવન વિશે જાગૃત કરે છે.

ધર્મ મૃત્યુ પછીના જીવન વિશે વાત કરે છે, અધ્યાત્મ આપણા જીવન દરમ્યાન, મૃત્યુ પહેલા ભગવાનને અંતરાત્મામાં શોધતા શીખવે છે.

આપણે મનુષ્ય જીવો નથી જે આધ્યાત્મિક અનુભવમાંથી પસાર થાય છે પણ આપણે આધ્યાત્મિક જીવો છીએ જે મનુષ્ય અનુભવ માંથી પસાર થાય છે.

(ઇન્ટરનેટ પરથી)